હવે તમે જટાયુ ક્રૂઝ દ્વારા માણી શકશો અયોધ્યાની સુંદરતા, જાણો ભાડાથી લઈને સમય સુધીની સંપૂર્ણ વિગતો

|

Sep 08, 2023 | 9:02 AM

Jatayu cruise service : આજે ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં નવી ક્રુઝ સેવા શરૂ થશે. જટાયુ નામની આ ક્રૂઝ રામાયણની થીમ પર તૈયાર કરવામાં આવી છે. આ ક્રૂઝમાં બેસીને પ્રવાસીઓ પ્રાચીન મંદિરો અને શાંત ઘાટ જોવાનો આનંદ માણી શકશે.

1 / 5
ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં આજથી એટલે કે 8મી સપ્ટેમ્બર 2023થી ફરવા માટેની નવી ક્રુઝ સેવા શરૂ થશે. સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશને એક ખાનગી એજન્સીને આજથી નયાઘાટ અને ગુપ્તરઘાટ વચ્ચે 'જટાયુ' ક્રુઝ સેવા ચલાવવાની પરવાનગી આપી છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં આજથી એટલે કે 8મી સપ્ટેમ્બર 2023થી ફરવા માટેની નવી ક્રુઝ સેવા શરૂ થશે. સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશને એક ખાનગી એજન્સીને આજથી નયાઘાટ અને ગુપ્તરઘાટ વચ્ચે 'જટાયુ' ક્રુઝ સેવા ચલાવવાની પરવાનગી આપી છે.

2 / 5
'જટાયુ' ક્રુઝ સેવાનું સંચાલન સાંજે 5 વાગ્યે ભવ્ય કાર્યક્રમ સાથે શરૂ થશે. જટાયુ નામની આ ક્રૂઝ રામાયણની થીમ પર તૈયાર કરવામાં આવી છે. તેના પર રામાયણના લોકપ્રિય ભાગો દર્શાવવામાં આવ્યા છે.

'જટાયુ' ક્રુઝ સેવાનું સંચાલન સાંજે 5 વાગ્યે ભવ્ય કાર્યક્રમ સાથે શરૂ થશે. જટાયુ નામની આ ક્રૂઝ રામાયણની થીમ પર તૈયાર કરવામાં આવી છે. તેના પર રામાયણના લોકપ્રિય ભાગો દર્શાવવામાં આવ્યા છે.

3 / 5
 અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિશાલ સિંહે કહ્યું કે ક્રુઝમાં સવાર મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સાવચેતી રાખવામાં આવશે. આ ક્રુઝ સર્વિસ ઓપરેટિંગ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર રાહુલ શર્માએ જણાવ્યું કે બંને ઘાટ વચ્ચે રાઉન્ડ ટ્રીપની કિંમત 300 રૂપિયા હશે.

અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિશાલ સિંહે કહ્યું કે ક્રુઝમાં સવાર મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સાવચેતી રાખવામાં આવશે. આ ક્રુઝ સર્વિસ ઓપરેટિંગ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર રાહુલ શર્માએ જણાવ્યું કે બંને ઘાટ વચ્ચે રાઉન્ડ ટ્રીપની કિંમત 300 રૂપિયા હશે.

4 / 5
 સંપૂર્ણ વાતાનુકૂલિત જટાયુ ક્રુઝ બોટમાં 100 લોકો બેસી શકે છે. તે તમને સરયુ નદી દ્વારા શહેરના સુંદર ઘાટો અને મંદિરોના પ્રવાસ પર લઈ જશે. રાઇડ દરમિયાન સરયુ નદીની આરતી પણ થશે. પ્રવાસ દરમિયાન મુસાફરોને ભોજન અને નાસ્તો પણ આપવામાં આવશે.

સંપૂર્ણ વાતાનુકૂલિત જટાયુ ક્રુઝ બોટમાં 100 લોકો બેસી શકે છે. તે તમને સરયુ નદી દ્વારા શહેરના સુંદર ઘાટો અને મંદિરોના પ્રવાસ પર લઈ જશે. રાઇડ દરમિયાન સરયુ નદીની આરતી પણ થશે. પ્રવાસ દરમિયાન મુસાફરોને ભોજન અને નાસ્તો પણ આપવામાં આવશે.

5 / 5
'જટાયુ' અયોધ્યામાં આવી પ્રથમ સેવા હશે, જે પ્રીમિયમ ક્રુઝ સેવા છે. આ ઉપરાંત 'પુષ્પક' નામની બીજી ક્રુઝ સેવા આ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે. પુષ્પક નામની આ ક્રૂઝ મોટી હશે. તેમાં અંદાજે 150 મુસાફરો માટે બેઠક વ્યવસ્થા હશે.

'જટાયુ' અયોધ્યામાં આવી પ્રથમ સેવા હશે, જે પ્રીમિયમ ક્રુઝ સેવા છે. આ ઉપરાંત 'પુષ્પક' નામની બીજી ક્રુઝ સેવા આ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે. પુષ્પક નામની આ ક્રૂઝ મોટી હશે. તેમાં અંદાજે 150 મુસાફરો માટે બેઠક વ્યવસ્થા હશે.

Next Photo Gallery