
શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જે હવે આગામી દિવસોમાં'કિંગ ઓફ સાળંગપુર'ના નામથી પણ ઓળખાશે. સાળંગપુર મંદિરમાં 54 ફુટની વિશાળ પ્રતિમા સ્થાપિત જે 7 કિમી દુરથી પણ દાદાના દર્શન થઈ શકશે

આ મૂર્તિ પંચધાતુની મૂર્તિનો વજન 30 હજાર કિલો હશે. આ મંદિર કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આકાર લેશે. દાદાની આ મૂર્તિની ડિઝાઈન અને માર્ગદર્શનમાં કુંડળનાજ્ઞાનજીવનદાસ સ્વામીએ માર્ગદર્શન આપ્યું હતું.

13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવ્યું. આ મૂર્તિ - કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં આકાર લેશે. 4 સ્ટેપ્સમાં મૂર્તિ લગાવવામાં આવી. દાદાની મૂર્તિ સાળંગપુરની શાનમાં વધારો કરશે.

દાદાની મૂર્તિ સામે ગાર્ડન બનાવવામાં આવ્યું - એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોની મજા માણી શકશે. મૂળ રાજસ્થાનના નરેશભાઈ કુમાવતે આ મૂર્તિ બનાવી છે.
Published On - 8:11 pm, Wed, 5 April 23