
વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર ભારતમાં છે અને જ્યારે લોકતંત્રના મંદિર તૈયાર થાય ત્યારે તેને એક જ્વેલરીના માધ્યમથી લોકો સમક્ષ મૂકવામાં આવે. ટેમ્પલ ઓફ ડેમોક્રેસી ના તમામ જ્વેલરીમાં અનેક પ્રકારના હીરાઓ છે પરંતુ ટ્રાયંગલર કલર નો ઉપયોગ વધારે કરવામાં આવ્યું છે.

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે જેને લઇ સુરતના જ્વેલર્સએ જ્વેલરીમાં નવા સંસદ ભવનની ડિઝાઇનનો સમાવેશ કર્યો છે. તેમનું કહેવું છે કે આ ડિઝાઇન ભારતીય પરંપરાને દર્શાવે છે. તેનો ડિસ્પ્લે અમે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કરવા જઈ રહ્યા છીએ.
Published On - 5:49 pm, Fri, 2 June 23