
સરકારી શાળા છે તો પણ ઘડિયાળનો સમય જોઈને નહી પરંતુ બાળકોની રૂચીને જોઈને વર્ગ લેવાય છે. નિયત સમયે ફરજીયાત શાળાનો અભ્યાસક્રમ ચાલે છે. ઉપરાંત શાળા સમય બાદ ઓવરટાઈમ કે જાહેર રજાના દિવસોમાં બાળકો શિક્ષણ માટે આવે છે.શિક્ષિણ માટે રાજયસરકારે અનેક યોજના લાગુ કરી છે.જેનો વધુને વધુ લાભ અને સ્કોલરશીપ બાળકોને મળે તે માટે શિક્ષકો તૈયારી કરાવે છે. જ્ઞાનસેતુ,એનએમએમએસ, પીએસઈ, જ્ઞાનસાધના, જીકે, આઈક્યુ સહીતની પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવે છે.જેમાં જિલ્લા વધુ બાળકો ખારવા સરકારી શાળાના હોય છે.વોટસઅપ દ્વારા વિધાર્થીઓને ઓનલાઈન પરીક્ષાઓ લેવામાં આવે છે.

ગામજનોએ શાળામાં બાળકોના શિક્ષણ માટે તમામ પ્રકારનો સહયોગ આપ્યો છે. રમત-ગમત માટે મૈદાન ગામજનોએ શાળાને ઉપયોગી થશે તે માટે જગ્યા આપી છે.આ ઉપરાંત શાળામાં જરૂરી સવલતો માટે આર્થિક દાન ગામજનો, વાલીઓ, પુર્વ વિધાર્થીઓ દ્વારા આપવામાં આવે છે. જેથી બાળકોને સવલતો મળી રહે છે.