Jamnagar : મનપાએ બગીચા માટે કાગળ પર જગ્યા તો ફાળવી દીધી પરંતુ 4 વર્ષમાં એકપણ વૃક્ષ ન વાવ્યુ- Photos

|

Oct 02, 2023 | 8:27 PM

Jamnagar: જામનગર મહાનગર પાલિકા દ્રારા બાગ-બગીચા માટે જમીન તો ફાળવવામાં આવી, પરંતુ વર્ષો બાદ પણ એક પણ વૃક્ષની વાવણી કરવાનો સમય ના મળ્યો. હાપા રોડ પર આવેલા ખુલ્લા પ્લોટની જમીન બગીચા માટે રાખવામાં આવી, પરંતુ ગોકળગાયની ગતિએ ચાલતા તંત્ર દ્રારા અહી વર્ષો બાદ પણ બગીચો બન્યો નથી.

1 / 6
Jamnagar: જામનગર શહેરના ઈસ્કોન મંદિરની સામે આવેલા હાપા રોડ પર વિશાળ પ્લોટ આવેલ છે. જયાં બગીચો બનાવવો અને વૃક્ષોનો ઉછેર કરવાનો નિર્ણય તો તંત્ર દ્રારા કરવામાં આવ્યો, પરંતુ આશરે 4 વર્ષ બાદ પણ અહી એક પણ વૃક્ષનો ઉછેર થયો નથી.

Jamnagar: જામનગર શહેરના ઈસ્કોન મંદિરની સામે આવેલા હાપા રોડ પર વિશાળ પ્લોટ આવેલ છે. જયાં બગીચો બનાવવો અને વૃક્ષોનો ઉછેર કરવાનો નિર્ણય તો તંત્ર દ્રારા કરવામાં આવ્યો, પરંતુ આશરે 4 વર્ષ બાદ પણ અહી એક પણ વૃક્ષનો ઉછેર થયો નથી.

2 / 6
વેરાન પડેલી જગ્યા બગીચો બનાવવા માટે રાખવામાં આવી. મહાનગર પાલિકા દ્રારા તો વૃક્ષો ઉછેર કરી શકાય તેમ નથી, એટલે સંસ્થાને આ જવાબદારી આપીને પ્લોટ આપવામાં આવ્યો. ચાલુ વર્ષથી જામનગર મહાનગર પાલિકા ગ્રીનરી ટેક્સની વસુલાત પણ કરે છે, પરંતુ તે માટે કામગીરી થતી ના હોવાના આક્ષેપ વિપક્ષના નેતા ધવલ નંદાએ કર્યો છે.

વેરાન પડેલી જગ્યા બગીચો બનાવવા માટે રાખવામાં આવી. મહાનગર પાલિકા દ્રારા તો વૃક્ષો ઉછેર કરી શકાય તેમ નથી, એટલે સંસ્થાને આ જવાબદારી આપીને પ્લોટ આપવામાં આવ્યો. ચાલુ વર્ષથી જામનગર મહાનગર પાલિકા ગ્રીનરી ટેક્સની વસુલાત પણ કરે છે, પરંતુ તે માટે કામગીરી થતી ના હોવાના આક્ષેપ વિપક્ષના નેતા ધવલ નંદાએ કર્યો છે.

3 / 6
2019 માં પ્લોટ સંસ્થાને આપવાની મંજુરી આપવામાં આવી હતી ચાર વર્ષ સુધી માત્ર કાગળ પર મંજુરીની કાર્યવાહી કરવામાં આવી. મે 2023માં આ પ્લોટ સંસ્થાને આપવામાં આવ્યો, પરંતુ હાલ સુધી ત્યાં બગીચા માટે એક છોડ પર વાવ્યો નથી. મે માસમાં શ્રી રામચંદ્ર મિશન ટ્રસ્ટને આપવામાં આવી છે.

2019 માં પ્લોટ સંસ્થાને આપવાની મંજુરી આપવામાં આવી હતી ચાર વર્ષ સુધી માત્ર કાગળ પર મંજુરીની કાર્યવાહી કરવામાં આવી. મે 2023માં આ પ્લોટ સંસ્થાને આપવામાં આવ્યો, પરંતુ હાલ સુધી ત્યાં બગીચા માટે એક છોડ પર વાવ્યો નથી. મે માસમાં શ્રી રામચંદ્ર મિશન ટ્રસ્ટને આપવામાં આવી છે.

4 / 6
ગણેશ ઉત્સવ દરમિયાન ત્યાં ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાનુ હોવાથી તે જગ્યા વૃક્ષો માટે કામગીરી થવા દેવામાં આવી નથી. વૃક્ષોના ઉછેર માટે આયોજન થાય, કિંમતી જમીન પણ ફાળવવામાં આવે પરંતુ વર્ષો બાદ પણ વૃક્ષો વાવ્યા નથી.

ગણેશ ઉત્સવ દરમિયાન ત્યાં ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાનુ હોવાથી તે જગ્યા વૃક્ષો માટે કામગીરી થવા દેવામાં આવી નથી. વૃક્ષોના ઉછેર માટે આયોજન થાય, કિંમતી જમીન પણ ફાળવવામાં આવે પરંતુ વર્ષો બાદ પણ વૃક્ષો વાવ્યા નથી.

5 / 6
8065 સ્કવેર મીટર જગ્યાવાળો પ્લોટ સંસ્થાને વૃક્ષોના વાવેતર અને ઉછેર તેમજ જાળવણી માટે સોપવામાં આવ્યો. જે માટે મંજુરી 2019માં આપવામાં આવી, પરંતુ બાદ પ્લોટ સંસ્થાને સોંપવામાં 4 વર્ષનો સમય વિતાવ્યો. હાલ થોડા સમય પહેલા પ્લોટ આપ્યો, પરંતુ ગણેશ વિસર્જન માટે આ જગ્યાનો ઉપયોગ કરવાનો હોવાથી ફરી બગીચા માટેની કામગીરી પર રોક લગાવી.

8065 સ્કવેર મીટર જગ્યાવાળો પ્લોટ સંસ્થાને વૃક્ષોના વાવેતર અને ઉછેર તેમજ જાળવણી માટે સોપવામાં આવ્યો. જે માટે મંજુરી 2019માં આપવામાં આવી, પરંતુ બાદ પ્લોટ સંસ્થાને સોંપવામાં 4 વર્ષનો સમય વિતાવ્યો. હાલ થોડા સમય પહેલા પ્લોટ આપ્યો, પરંતુ ગણેશ વિસર્જન માટે આ જગ્યાનો ઉપયોગ કરવાનો હોવાથી ફરી બગીચા માટેની કામગીરી પર રોક લગાવી.

6 / 6
ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાનુ હોવાથી બગીચા માટે કૃત્રિમ સંકટ તંત્રે મુક્યુ. તેથી વર્ષોથી કાગળ પર બાગ-બગીચા માટે આયોજન તો થયુ પરંતુ વાસ્તવમાં પર્યાવરણ માટે તે કામગીરી થઈ નહી.

ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાનુ હોવાથી બગીચા માટે કૃત્રિમ સંકટ તંત્રે મુક્યુ. તેથી વર્ષોથી કાગળ પર બાગ-બગીચા માટે આયોજન તો થયુ પરંતુ વાસ્તવમાં પર્યાવરણ માટે તે કામગીરી થઈ નહી.

Next Photo Gallery