Jamnagar : પર્યાવરણ બચાવવા યુવકે કર્યો અનોખો પ્રયાસ, સાયકલ પર 8 રાજ્યોનું ભ્રમણ કરી લોકોને આપ્યો સંદેશ

પર્યાવરણ બચાવ માટે સરકાર અને અનેક લોકો દ્વારા અનેક કવાયત હાથ ધરવામાં આવી છે. તો કેટલાક લોકો સ્વાસ્થ્ય સારુ રહે તે માટે સાયકલ ચલાવતા હોય છે. તો કેટલાક લોકો પર્યાવરણને બચાવવા માટે પણ આ પ્રરકારના પગલા લેતા હોય છે. તો જામનગરના 47 વર્ષીય યુવકે પર્યાવરણ બચાવવા માટે 8 રાજયનું 116 દિવસનો સાયકલ પ્રવાસ કર્યો છે. પ્રવાસ દરમિયાન અંદાજે 60 હજારથી વધુ લોકોને મળીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.

| Edited By: | Updated on: Oct 20, 2023 | 1:08 PM
4 / 5
સાયકલથી 8  રાજયમાં પ્રવાસમાં સૌથી વધુ પ્રેમ, આદર, સત્કાર, મહેમાનગતિ,માન સન્માન ગુજરાતમાં મળ્યુ છે. ગુજરાતના લોકો વધુ માયાળુ હોવાનું ગોવિંદ નંદાણિયાએ જણાવ્યુ છે. આ સાથે પ્રવાસ દરમિયાન જમ્મુ કાશ્મીર અને લદાખ વિસ્તારમાં સુરક્ષા એજન્સીના જવાનોએ ખુબ સહકાર અને મદદરૂપ થયા હતા.

સાયકલથી 8 રાજયમાં પ્રવાસમાં સૌથી વધુ પ્રેમ, આદર, સત્કાર, મહેમાનગતિ,માન સન્માન ગુજરાતમાં મળ્યુ છે. ગુજરાતના લોકો વધુ માયાળુ હોવાનું ગોવિંદ નંદાણિયાએ જણાવ્યુ છે. આ સાથે પ્રવાસ દરમિયાન જમ્મુ કાશ્મીર અને લદાખ વિસ્તારમાં સુરક્ષા એજન્સીના જવાનોએ ખુબ સહકાર અને મદદરૂપ થયા હતા.

5 / 5
સાયકલ સાથે દૈનિક 10 કલાકનો અને સરેરાશ 100થી 120 કિમીનો પ્રવાસ કરતા. 116 દિવસમાં બે ટાયર, 6 પેન્ડલ બદલવવા પડયા અને 5 વખત સાયકલને રીપેર કરી હતી. કેટલાક વિસ્તારમાં ચાલીને પ્રવાસ પુર્ણ કર્યો. દિવસના અજવાળે જ પ્રવાસ કરતા હતા. 15 ઓગષ્ટે કારગીલ વોર મેમોરીયલમાં જવાનો સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.

સાયકલ સાથે દૈનિક 10 કલાકનો અને સરેરાશ 100થી 120 કિમીનો પ્રવાસ કરતા. 116 દિવસમાં બે ટાયર, 6 પેન્ડલ બદલવવા પડયા અને 5 વખત સાયકલને રીપેર કરી હતી. કેટલાક વિસ્તારમાં ચાલીને પ્રવાસ પુર્ણ કર્યો. દિવસના અજવાળે જ પ્રવાસ કરતા હતા. 15 ઓગષ્ટે કારગીલ વોર મેમોરીયલમાં જવાનો સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.