
ભૌગોલીક રીતે અખાતની ખાડીમાં આવેલુ ખીજડીયા દરીયા કિનારાનુ ગામ છે. જામનગરના રાજવી જામરણજીતસિંહજીએ ભૌગોલિક સ્થિતી આધારે કેનાલ, બંધ, કયારા બંધાવેલ હતા. જેના કરાણે અહી દરીયાના ખારા પાણી છે. સાથે રૂપારેલ અને કાલિંદ્રી નદીના મીઠા પાણીના કેનાલ મારફતે ખીજડીયામાં સંગ્રહ થાય છે.

અનેક અનુકુળતા અને પ્રતિકુળતાઓના કારણે અહી પક્ષી અભ્યારણ્ય આવેલુ છે. જયા કેનાલ, તળાવ, ખાબોચીયા, નદીના વહેતા પાણી, વેટલેન્ડ, અનેક વૃક્ષો, આવેલા છે. જેના કારણે દેશ-વિદેશના 314થી વધુ પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે. થોડા વર્ષ પહેલા ખીજડીયાને રામસર સાઈડ તરીકે સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલ છે. તેમ મરીન નેશનલ પાર્ક દ્રારા તેની જાળવણી અને સંરક્ષણ માટેની કામગીરી કરવામાં આવે છે.

પક્ષીઓ માટે સ્વર્ગ ગણાતા ખીજડીયામાં મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે. પક્ષીઓને નિહાળવા, તેના કલરવને માળવા તેમજ તેના વિશે અભ્યાસ કરતા દુનિયાભરના લોકો ખીજડીયા દોડી આવે છે. ઉપરાંત ગોકુળીયા ગામમાં ફરવા માટે સ્વચ્છ વાતાવરણ સાથે સારા રસ્તાઓ, કુદરતી સૌદર્યની ભેટ ખીજડીયાને મળી છે. આવા અનેક કારણ હોવાથી ખીજડીયા ગામને બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023 નો એવોર્ડ પ્રાપ્ત થયો છે.