
અહી રસ્તા પર બંન્ને બાજુ ખેતરોમાં લાલ, પીળા, કેસરી, સફેદ સહીતના રંગબેરંગી ફુલોથી છવાયેલી ચાદર હોય તેવો નજારો જોવા મળે છે. જામનગર શહેરમાં મોટાભાગે મોખાણા ગામના ફુલો આવતા હોય છે. ખેડૂતોએ અન્ય ખેતીની સાથે ખેડુતો ફુલોની ખેતી કરીને પોતાની સારી આવકની સાથે ગામને અનોખી ઓળખ પણ આપી છે.

વધુ ખર્ચ, વધુ બીયારણ, વધુ સમય અને વધુ મહેનત થતી હોવાથી બટેટા અને કપાસ જેવી ખેતીને અંહીના ખેડુતોએ છોડી છે. હવે ઓછી મહેનત અને ઓછા ખર્ચમાં સુંગધીત ફુલોની ખેતી કરીને ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે.