
ડૉ. નારાયણને કહ્યું, "જો આપણે દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવી હોય, તો આપણે ઉપગ્રહોનો ઉપયોગ કરવો પડશે. આપણે આપણા 7,000 કિલોમીટર લાંબા દરિયાકાંઠાનું નિરીક્ષણ કરવું પડશે. આપણે સમગ્ર ઉત્તર ભારતને સતત દેખરેખ હેઠળ રાખવું પડશે. ઉપગ્રહ અને ડ્રોન ટેકનોલોજી વિના આ કાર્ય શક્ય નથી."

તેમણે કહ્યું કે ઇસરો G20 દેશો માટે એક ખાસ ઉપગ્રહ વિકસાવી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય આબોહવા, વાયુ પ્રદૂષણ અને હવામાનનું નિરીક્ષણ કરવાનો છે. ISROના વડાએ સ્વતંત્રતા પછી દેશની પ્રગતિને "અનોખી અને નોંધપાત્ર" ગણાવી.
Published On - 3:27 pm, Mon, 12 May 25