
ગભરામણ કે શ્વાસ લેવામાં તકલીફ : શિયાળાની ઋતુમાં રક્તવાહિનીઓ સંકોચાય છે, જેના કારણે રક્ત પરિભ્રમણ પણ પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં જો તમે રાત્રે ઊની અથવા સ્વેટર જેવા ગરમ કપડા પહેરીને સૂઈ જાઓ છો તો તમને નર્વસનેસ, બેચેની, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવું કેટલાક લોકોને રાત્રે ઊંઘ દરમિયાન થાય છે, જે જીવલેણ બની શકે છે.

ત્વચાની એલર્જી : સ્વેટર શરીરનું તાપમાન વધારે છે. જો તમે રાત્રે સૂતી વખતે પણ સ્વેટર પહેરો છો, તો તેનાથી તમારી ત્વચામાં બળતરા, ખંજવાળ અથવા ફોલ્લીઓ થઈ શકે છે. ખાસ કરીને જે લોકો શુષ્ક ત્વચા ધરાવતા હોય તેઓ રાત્રે સ્વેટર પહેરીને સૂઈ જાય તો તેનાથી ત્વચાની એલર્જી થઈ શકે છે.

શરીરની વધુ પડતી ગરમી : શરીરના તાપમાનનું યોગ્ય સંતુલન ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાત્રે સ્વેટર પહેરીને સૂવાથી શરીરનું તાપમાન વધી શકે છે. અને તેનાથી તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે.

રાતે સૂતી વખતે આરામદાયક અને ખૂબ જ હળવા કપડાં પહેરવા જોઈએ. લૂઝ કપડાં આરામદાયક હોય છે જેના કારણે ઊંઘ વધુ આરામદાયક બને છે. તમે આ દરિયાન રજાઈ કે ધાબળો ઓઢી શકો છો પણ રાતે સૂતા સ્વેટર પહેરવાથી શરીરને
Published On - 11:26 am, Sat, 21 December 24