
કેપેસિટરને નુકસાન: કોમ્પ્રેસર શરૂ કરવા માટે કેપેસિટરનો ઉપયોગ થાય છે. જ્યારે તમે મેઈન સ્વીચમાંથી AC બંધ કરો છો, ત્યારે આ કેપેસિટર ચાર્જ રહી જાય છે. વારંવાર આમ કરવાથી કેપેસિટરને નુકસાન થઈ શકે છે.

કન્ટ્રોલ બોર્ડને નુકસાન: કેટલાક કિસ્સાઓમાં, મેઈન સ્વીચથી સીધું AC બંધ કરવાથી પણ કંટ્રોલ બોર્ડને નુકસાન થઈ શકે છે.


ACના ઇલેક્ટ્રિકલ ભાગોને નુકસાન: ACને પાવર આપતા સોકેટ અને સ્વીચ સામાન્ય સ્વીચો અને સોકેટથી અલગ હોય છે. જો તમે વારંવાર સ્વીચ ચાલુ અને બંધ કરો છો, તો તે ઇલેક્ટ્રિકલ ભાગોને નુકસાન પહોંચાડી શકે છે. સ્વીચથી AC બંધ કરવું તમારા માટે મોંઘુ સાબિત થઈ શકે છે. જો AC ના કોઈપણ ઇલેક્ટ્રિકલ ભાગને નુકસાન થાય છે, તો તેનાથી ઘણો ખર્ચો થઈ શકે છે.
Published On - 10:29 am, Sun, 13 April 25