
હોટેલમાં લંચ કર્યા બાદ પ્રવાસીઓ વાઘા બોર્ડરની ટૂર પર જશે. પ્રવાસીઓ વાઘા બોર્ડરથી હોટેલ પરત ફરશે અને રાત્રે ડિનર બાદ આરામ કરશે. પછી પ્રવાસના બીજા દિવસે, નાસ્તો કર્યા પછી, પ્રવાસીઓ સુવર્ણ મંદિરની મુલાકાત લેવા જશે.સુવર્ણ મંદિરની મુલાકાત લીધા પછી, પ્રવાસીઓ ઐતિહાસિક સ્થળ જલિયાવાલા બાગની મુલાકાત લેશે. જલિયાવાલા બાગની મુલાકાત લીધા પછી, પ્રવાસીઓ લંચ અને આરામ માટે હોટેલ પરત ફરશે. આ પછી સાંજે અમૃતસર સ્ટેશનથી ટ્રેન ઉપડશે અને નવી દિલ્હી આવશે.

ટૂર પેકેજની કિંમત વિશે વાત કરીએ તો, સિંગલ શેરિંગનો ખર્ચ 8,325 રૂપિયા થશે. તે જ સમયે ડબલ શેરિંગમાં તેની કિંમત 6,270 રૂપિયા છે. ટ્રિપલ શેરિંગમાં 5,450. જો તમારી સાથે 5 થી 11 વર્ષનું બાળક છે, તો બેડ સાથે 4,320 રૂપિયા અને બેડ વિના 3,690 રૂપિયા લેવામાં આવશે.