IRCTC Tour Package : ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા વૈષ્ણો દેવીના દર્શન કરો, જાણો IRCTC ટુર પેકેજની વિગતો
3 રાત અને 4 દિવસના આ પેકેજની શરુઆત દિલ્હીથી શરુ થશે. આ પેકેજ હેઠળ તમને થર્ડ એસીમાં મુસાફરી કરાવવામાં આવશે. તેમજ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની વ્યવસ્થા પણ આઈઆરસીટીસી પુરી પાડશે.
1 / 5
ટુરિઝમને વધારવા માટે આઈઆરસીટીસી સમય સમય પર ટુર પેકેજને લોન્ચ કરે છે. આ પેકેજ હેઠળ તમે દેશ વિદેશના ટુરિસ્ટ સ્થળો તેમજ ધાર્મિક સ્થળોના દર્શન કરવાની તક મળી શકે છે.આઈઆરસીટીસી તમને માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાની તક આપી રહ્યું છે. તમે માતા પિતાને આ ટુર પેકેજમાં સરળતાથી મોકલી શકો છો. 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિની શરુઆત થઈ રહી છે. આ દિવસથી જ આ ટુર પેકેજ શરુ થાય છે.
2 / 5
3 રાત અને 4 દિવસના આ પેકેજની શરુઆત દિલ્હીથી થશે. આ પેકેજ હેઠળ તમે થર્ડ એસીમાં પ્રવાસ કરશો. આખી રાત ટ્રેનમાં મુસાફરી કર્યા બાદ તમે બીજા દિવસે વહેલી સવારે તમે જમ્મુ રેલવે સ્ટેશન પર પહોચશો. ત્યારબાદ અહિથી તમે કટરા પહોંચશો. હોટલમાં ચેક ઈન કર્યા બાદ ફ્રેશ થઈ બ્રેકફાસ્ટ કરી માતાના દર્શન માટે લઈ જવામાં આવશે.
3 / 5
માતા વૈષ્ણો દેવીના દર્શન માટે તમને બાળગંગા ડ્રોપ કરવામાં આવશે. ત્યારબાદ તમે દર્શન કરવા માટે લઈ જવામાં આવશે. રાત્રે તમે દર્શન કરી હોટલ પરત ફરશો. અહિ તમારા ડિનરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટુર પેકેજમાં ત્રીજા દિવસે બ્રેકફાસ્ટ બાદ તમારી પાસે ફ્રી સમય હશે, તમે આરામ પણ કરી શકો છો.
4 / 5
જો તમે આ ટુર પેકેજ એકલા બુક કરાવી રહ્યા છો તો તમારે 10395 રુપિયાનો ખર્ચ કરવાનો રહેશે. 2 લોકોના બુકિંગ માટે તમારે પ્રતિ વ્યક્તિ 7855 રુપિયાનો ખર્ચ થશે. 3 લોકો માટે પ્રતિ વ્યક્તિ 6795 રુપિયાનો ખર્ચ થશે. જો તમારી સાથે 5 થી 11 વર્ષના બાળકો ટુર કરી રહ્યા છે તો તમારે અલગ ચાર્જ ચુકવવાનો રહેશે.
5 / 5
જો તમે આ ટુર પેકેજ બુક કરાવવા માંગો છો તો તમારે આઈઆરસીટીસીની વેબ સાઈટ પર જઈ આ ટુર પેકેજ બુક કરાવવાનું રહેશ. જ્યાં તમને અન્ય જાણકારી પણ મળી રહેશે.