
મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. ધોની ચેન્નાઈ માટે 2 વખત ચેમ્પિયન્સ લીગ જીતવામાં સફળ રહ્યો.

ચેન્નાઈની કેપ્ટનશીપ છોડ્યા બાદ ધોની વર્ષ 2007 બાદ પ્રથમ વખત કેપ્ટનશીપ વગર રમતા જોવા મળશે. તેની કેપ્ટનશિપ કારકિર્દીમાં તેણે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ, ટી20 વર્લ્ડ કપ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી.