
ક્યારેક તત્કાલ બુકિંગ ખૂલતાની સાથે જ સેકન્ડોમાં સીટ્સ ભરાઈ જતી હતી. ઘણી વખત દલાલો અથવા ઓટોમેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કરતા એજન્ટો દ્વારા મોટી સંખ્યામાં ટિકિટો એકસાથે બુક થાય એવી ફરિયાદો સામે આવતી હતી. OTP ચકાસણી લાગુ થતાં હવે દરેક મુસાફર પોતાનું યથાર્થ મોબાઇલ નંબર આપીને જ ટિકિટ મેળવી શકશે, જેનાથી દલાલોની મનમાની પર નિયંત્રણ આવશે.

રેલવે દ્વારા મુસાફરોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ તત્કાલ બુકિંગ કરતી વખતે પોતાનો માન્ય અને કાર્યરત મોબાઇલ નંબર જ દાખલ કરે. OTP ન મળવાના કિસ્સામાં બુકિંગ અપૂર્ણ રહી શકે છે. તેથી મુસાફરોને આગોતરી તૈયારી રાખવા વિનંતી કરવામાં આવી છે.

આ નવી વ્યવસ્થા હજી માટે માત્ર શતાબ્દી એક્સપ્રેસ પર લાગુ થશે, પરંતુ ભવિષ્યમાં અન્ય ટ્રેનો અને સમગ્ર તત્કાલ સિસ્ટમમાં પણ તેનો વિસ્તાર થઈ શકે છે. જો આ પ્રયત્ન સફળ રહેશે તો તત્કાલ બુકિંગ પ્રક્રિયામાં મોટા સુધારા જોવા મળી શકે છે.

પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી આ સૂચના મુસાફરો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તત્કાલ બુકિંગ કરતા પહેલા આ નવી પ્રક્રિયાની નોંધ લેવી જરૂરી છે. જેથી બુકિંગ દરમિયાન કોઇ અનિચ્છનીય અડચણ ન આવે. હવે તત્કાલ બુકિંગ માત્ર ઝડપથી નહીં, પણ વધુ સુરક્ષિત અને પારદર્શક રીતે થશે – જે મુસાફરો માટે ચોક્કસ રીતે સારા સમાચાર છે.