
કચ્છના અખાતના વિસ્તારમાં ભારત દ્વારા આયાત કરેલા આશરે 80ટકા ક્રુડઓઈલનું સંચાલન કરે છે,તેથી આ વિસ્તારમાં અત્યંત પર્યાવરણીય સંવેદનશીલ પ્રદેશમાં ગણી શકાય. ક્રુડઓઈલ પરીવહન કરતી પાઈપલાઈનો અને જહાજોની સંખ્યા અહી વધુ હોવાથી અકસ્માતની શકયતા વધુ રહે છે. તે માટે આ વિસ્તારને પસંદગી કરવામાં આવી છે. બીજુ કારણ મરીન નેશનલ પાર્કનો વિસ્તાર કચ્છના અખાતમાં છે. જયા અસંખ્ય દરિયાઈ જીવસુષ્ટી વરસવાટ કરે છે. દરિયામાં ઓઈલ પડવાથી દરિયાઈ જીવો માટે નુકશાનકારક બની શકે.

કોઈ નાના અકસ્માત થાય તો ક્રુડઓઈલની ખાનગી કંપનીઓ પાસે પણ આવા સાધનો અને ઉપકરણોની મદદથી પ્રદુષણને નિયંત્રણ લાવી શકે છે. પરંતુ જો મોટીમાત્રામાં ક્રુડઓઈલ દરીયામાં પ્રસરી ગયુ હોય ત્યારે તે માટે કોસ્ટગાર્ડ સહિત વિવિધ એજન્સીઓ એક સાથે મળી સયુંકત કામગીરી કરે છે.