5 / 5
આ સિવાય સુષ્મા વર્મા, વેદા કૃષ્ણમૂર્તિ, મોના મેશરામ, માનસી જોશી, નુજહત પરવીન જેવી ખેલાડીઓને પણ જગ્યા મળી નથી. તેઓનું પ્રદર્શન પણ એવું નહોતું કે તેઓ પસંદગી માટે દાવો કરી શકે. વેદાએ 2018થી વનડે રમી નથી. ગયા વર્ષે પણ તે ક્રિકેટથી દૂર રહી હતી. આ દરમિયાન તેને પારિવારિક સ્થિતીમાં પણ ખૂબ જ ખરાબ તબક્કાનો સામનો કરવો પડ્યો હતો. વેદાની માતા અને બહેનનું કોરોનાથી મૃત્યુ થયું હતું. મોના અને સુષ્મા પણ તેમની રમતથી પ્રભાવિત કરી શક્યા નહીં. યુવા ખેલાડી નુજહત પરવીન પણ આપેલી તકોમાં સફળ રહી ન હતી.