
ભારતના કેટલાક પસંદગીના શહેરોમાં જ ઈ-પાસપોર્ટ સેવા શરૂ કરવામાં આવી છે. આમાં નાગપુર, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈ, જયપુર, રાંચી, શિમલા, ભુવનેશ્વર, જમ્મુ અને ગોવા શામેલ છે. વિદેશ મંત્રાલય 2025ના મધ્ય સુધીમાં તેને દેશભરમાં શરૂ કરવાની યોજના ધરાવે છે. આ પછી દરેક નાગરિક તેનો લાભ મેળવી શકશે.

સામાન્ય પાસપોર્ટ ધરાવતા લોકોએ શું કરવું પડશે તેની વાત કરવામાં આવે તો, જે લોકો પાસે પહેલાથી જ પાસપોર્ટ છે. તેમને તાત્કાલિક ઈ-પાસપોર્ટ બનાવવાની જરૂર રહેશે નહીં. સામાન્ય પાસપોર્ટ તેમની સમાપ્તિ તારીખ સુધી માન્ય રહે છે. પરંતુ રિન્યુઅલ દરમિયાન તમને ફક્ત ઈ-પાસપોર્ટ જ આપવામાં આવશે. ઈ-પાસપોર્ટ માટે અરજી કરવાની પ્રક્રિયા તમે પહેલા જેવી જ કરી રહ્યા છો. આ માટે તમારે ઓનલાઈન આ પગલાંઓનું પાલન કરવું પડશે.

આ માટે, તમારે પહેલા passportindia.gov.in વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ વેબસાઇટમાં લોગ ઇન કર્યા પછી, ફ્રેશ અથવા રીઈશ્યુ પાસપોર્ટનો વિકલ્પ પસંદ કરો. હવે તમારી પાસેથી માંગવામાં આવતી બધી વિગતો કાળજીપૂર્વક ભરો. ઓનલાઈન ફી મોડ પસંદ કરો અને તેને ચૂકવો. આ પછી, નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાં એપોઇન્ટમેન્ટ બુક કરો. આ કર્યા પછી તમને એપોઇન્ટમેન્ટ લેટરમાં સમય અને તારીખ મળશે. તમારા જરૂરી મૂળ દસ્તાવેજો સાથે આપેલ સમયે કેન્દ્ર પર પહોંચો.

ઈ-પાસપોર્ટના ફાયદા શું છે તેની વાત કરવામાં આવે તો, આ પાસપોર્ટમાં ચિપનું ડુપ્લિકેટ બનાવવું શક્ય નથી. આનાથી પાસપોર્ટ સંબંધિત છેતરપિંડીના કિસ્સાઓ ઘટાડવામાં મદદ મળશે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમિગ્રેશન ઝડપી બનશે. આ ચિપથી અધિકારી તમારી વિગતો સરળતાથી અને ઝડપથી જોઈ શકશે. આનાથી ચકાસણીમાં ઓછો સમય લાગશે. ચિપમાં સાચવેલી તમારી વિગતો પબ્લિક કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર (PKI) ટેકનોલોજી દ્વારા સુરક્ષિત રાખવામાં આવે છે. કોઈ અજાણ્યો વ્યક્તિ તમારી અંગત વિગતો મેળવી શકશે નહીં. કે કોઈ તેને બદલી શકતું નથી.