
માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે તેમના સંબોધનમાં 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદી વહોરનાર બહાદુર સૈનિકોને યાદ કર્યા હતા અને સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને અધિકારીઓનો આભાર માન્યો હતો.

પ્રથમ INS ખુકરી એ ભારતીય નૌકાદળનું બ્લેકવુડ-ક્લાસ ફ્રિગેટ હતું. તે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન 9 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની નૌકાદળની સબમરીન હેંગોર દ્વારા દિવ દરિયાકાંઠે ડૂબી ગઈ હતી. ભારતીય નૌકાદળના ઈતિહાસમાં તે એકમાત્ર જહાજ છે જે 194 સૈનિકો સાથે ડૂબી ગયુ હતુ.
Published On - 3:06 pm, Thu, 27 January 22