પત્નીએ પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા, લાશ ડ્રમમાં ભરી ડ્રમ સિમેન્ટથી સીલ કરી જતી રહી શિમલા ફરવા

મેરઠમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશને ડ્રમમાં ભરી ડ્રમને સિમેન્ટથી બંધ કરી દીધુ. હત્યા બાદ બંને શિમલા ફરવા ગયા હતા. 14 દિવસ બાદ પત્નીએ બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે માતાની મદદ માંગી હતી, જેના કારણે હત્યાનો ખુલાસો થયો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી લાશ કબજે કરી હતી.

| Updated on: Mar 19, 2025 | 2:43 PM
4 / 6
સૌરભ 26 ફેબ્રુઆરીએ લંડનથી ઘરે આવ્યો. 28 ફેબ્રુઆરીએ દીકરી પીહુનો જન્મદિવસ ઉજવ્યો. સૌરભ લંડન ગયા પછી મુસ્કાનને ઈન્દ્રનગરમાં રહેતા શાહિલ શુક્લા સાથે પ્રેમ થઈ ગયો. અચાનક સૌરભને મુસ્કાન અને શાહિલના સંબંધો વિશે માહિતી મળી.હવે મુસ્કાનને સૌરભ નડતરરૂપ લાગવા લાગ્યો.ત્યારબાદ મુસ્કાને શાહિલ સાથે મળીને સૌરભની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. 4 માર્ચે સૌરભની ઘરની અંદર હત્યા કરવામાં આવી. મૃતદેહના ટુકડા કર્યા બાદ તેને એક ડ્રમમાં મૂકીને ઉપર સિમેન્ટ વડે સીલ કરવામાં આવ્યા. તે પછી મુસ્કાન અને શાહિલ શિમલામાં ફરવા ગયા. ત્યાંથી ચૌદ દિવસ ઘરે પરત ફર્યા.

સૌરભ 26 ફેબ્રુઆરીએ લંડનથી ઘરે આવ્યો. 28 ફેબ્રુઆરીએ દીકરી પીહુનો જન્મદિવસ ઉજવ્યો. સૌરભ લંડન ગયા પછી મુસ્કાનને ઈન્દ્રનગરમાં રહેતા શાહિલ શુક્લા સાથે પ્રેમ થઈ ગયો. અચાનક સૌરભને મુસ્કાન અને શાહિલના સંબંધો વિશે માહિતી મળી.હવે મુસ્કાનને સૌરભ નડતરરૂપ લાગવા લાગ્યો.ત્યારબાદ મુસ્કાને શાહિલ સાથે મળીને સૌરભની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. 4 માર્ચે સૌરભની ઘરની અંદર હત્યા કરવામાં આવી. મૃતદેહના ટુકડા કર્યા બાદ તેને એક ડ્રમમાં મૂકીને ઉપર સિમેન્ટ વડે સીલ કરવામાં આવ્યા. તે પછી મુસ્કાન અને શાહિલ શિમલામાં ફરવા ગયા. ત્યાંથી ચૌદ દિવસ ઘરે પરત ફર્યા.

5 / 6
સૌરભના બેંક ખાતામાં છ લાખની રકમ હતી. મુસ્કાન અને શાહિલ આ રકમ ઉપાડી શક્યા ન હતા. ત્યારબાદ મુસ્કાન તેના મામાના ઘરે ગૌરીપુરા ગઈ હતી. તેણે તેની માતા કવિતા રસ્તોગીને બેંક ખાતામાંથી પૈસા મેળવવા માટે મદદ માંગી. ત્યારબાદ મુસ્કાને તેની માતાને સમગ્ર ઘટનાની જાણકારી આપી.

સૌરભના બેંક ખાતામાં છ લાખની રકમ હતી. મુસ્કાન અને શાહિલ આ રકમ ઉપાડી શક્યા ન હતા. ત્યારબાદ મુસ્કાન તેના મામાના ઘરે ગૌરીપુરા ગઈ હતી. તેણે તેની માતા કવિતા રસ્તોગીને બેંક ખાતામાંથી પૈસા મેળવવા માટે મદદ માંગી. ત્યારબાદ મુસ્કાને તેની માતાને સમગ્ર ઘટનાની જાણકારી આપી.

6 / 6
જે બાદ કવિતા રસ્તોગી બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને સમગ્ર ઘટનાની જાણકારી આપી. ત્યારબાદ પોલીસે મુસ્કાન અને શાહિલ શુક્લાની ધરપકડ કરી હતી. તેમની સૂચનાથી ડ્રમ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું હતું.

જે બાદ કવિતા રસ્તોગી બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને સમગ્ર ઘટનાની જાણકારી આપી. ત્યારબાદ પોલીસે મુસ્કાન અને શાહિલ શુક્લાની ધરપકડ કરી હતી. તેમની સૂચનાથી ડ્રમ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું હતું.