
ડાયાબિટીસમાં ફાયદાકારક : જો તમે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છો, તો આયુર્વેદમાં કેસૂડાના પાનથી તેનો ઈલાજ શક્ય છે. કેસૂડાના પાન કફ અને પિત્તને પણ ઘટાડે છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

ત્વચાની તમામ સમસ્યામાં માટે : કેસૂડાના બીજની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવવામાં આવે તો ખરજવું અને ત્વચાના અન્ય રોગો મટે છે. આ પેસ્ટ ખંજવાળ અને શુષ્કતાની સમસ્યાને દૂર કરવામાં પણ અસરકારક છે. તેમાં રહેલા એસ્ટ્રિજન્ટ ગુણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે જો તમે કેસૂડાના પાણીથી સ્નાન કરો છો તો શરીરની ગરમી ઓછી થાય છે તેમજ ઓરી અઠબળા સહિત ત્વચાની સમસ્યામાં રાહત મળે છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

યોનિ સંક્રમણમાં ઉપયોગી : જો તમે કોઈપણ પ્રકારના યોનિ સંક્રમણના ચેપથી પરેશાન છો, કેસૂડાના પાનમાંથી બનાવેલ ઉકાળો નિયમિતપણે ઉપયોગ કરો. તે લ્યુકોરિયા (સફેદ અથવા પીળો યોનિમાર્ગ સ્રાવ) અને યોનિના ચેપમાં અસરકારક છે. આ સાથે કેસૂડો જાતીય નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે. તેની વાજીકરણ (કામોત્તેજક) પ્રકૃતિ અને કષાય ગુણધર્મોને લીધે તે જાતીય રોગોને મટાડવામાં મદદ કરે છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

વાળ માટે ફાયદાકારક : વાળ માટે પણ કેસૂડાના ફુલના ફાયદા જોઈ શકાય છે. એક સંશોધન અનુસાર, કેસૂડાના ફૂલમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે વાળના ફોલિકલ્સમાં હાજર ફ્રી રેડિકલને દૂર કરીને વાળ ખરતા અટકાવે છે. જેનાથી વાળ ખરવાની સમસ્યાને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે . (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

પથરી મટાડે : પથરીના રોગ માટે કેસૂડાના ફુલના ફૂલ ફાયદાકારક છે. આ ફૂલને ઉકાળીને આ પાણી પીવાથી પથરી તૂટી જાય છે અને મૂત્ર માર્ગે નીકળી જાય છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Published On - 12:56 pm, Thu, 21 March 24