
રાજકોટમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી.

વડાપ્રધાનના સભા સ્થળ પર સાધુ સંતોની હાજરી પણ જોવા મળી હતી. વડાપ્રધાનને સાંભળવા સંતો પણ હાજર રહ્યા હતા.

આ સ્વાગતથી ઉત્સાહિત વડાપ્રધાને સભામાં સંબોધન દરમિયાન બહેનોનો ઋણ સ્વીકાર કર્યો હતો. આ પૂર્વે બનાસકાંઠામાં બનાસ ડેરીના એક પ્લાન્ટના ઉદઘાટન સમયે હજારો બહેનોએ ઓવારણાં લેતા વડાપ્રધાન મોદી ભાવુક બન્યા હતા.