
2. લીમડાના પાણીથી સ્નાન કરો - લીમડાના પાણીથી સ્નાન કરવાથી પરસેવાની દુર્ગંધ ઓછી થાય છે. લીમડો એન્ટીબેક્ટેરિયલ છે જે પરસેવાના બેક્ટેરિયાને મારવામાં અને ગંધ ઘટાડવામાં મદદ કરે છે. તેથી લીમડાના પાનને પીસીને પાણીમાં મિક્સ કરો અને આ પાણીથી સ્નાન કરો. ઉનાળામાં તમે આ પાણીનો નિયમિત ઉપયોગ કરી શકો છો.

3. લીંબુનો રસ : તમારા નહાવાના પાણીમાં લીંબુના રસને મિક્સ કરો હવે આ પાણીથી સ્નાન કરો. તે શરીરના તમામ બેક્ટેરિયાને મારી નાખે છે અને શરીરમાં તાજગી તેમજ આવતી ખરાબ ગંધને દૂર કરી દે છે. આ સાથે, તે તમારા કોઈપણ પ્રકારના ત્વચાના ચેપને ઘટાડવામાં મદદ કરે છે. તેથી, પાણીમાં થોડો લીંબુનો રસ ઉમેરીને સ્નાન કરવું.

4. નહાવાના પાણીમાં નીલગિરીનું તેલ મિક્સ કરો -નીલગિરીનું તેલ પાણીમાં ભેળવીને આ પાણીથી સ્નાન કરવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે. આ ઉપરાંત, આ તેલ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ પણ છે જે તમને કોઈપણ પ્રકારના ત્વચા ચેપથી બચાવે છે. તેથી, સ્નાન કરતી વખતે, પાણીમાં નીલગિરીનું તેલ ઉમેરો અને આ પાણીથી સ્નાન કરો. આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે.