
અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. આ સમયે મંદિર જય જગન્નાથના નાદથી ગુંજ્યુ હતુ.

અમિત શાહ દર વર્ષે વહેલી સવારે જ ભગવાન જગન્નાથની મંગળા આરતી ઉતારે છે. તેમની સાથે તેમનો પરિવાર પણ જોડાયો હતો.

અમિત શાહે આરતી ઉતાર્યા બાદ પ્રભુ જગન્નાથના ચરણોમાં દંડવત્ત પ્રણામ કર્યા હતા.

આરતી ઉતાર્યા બાદ અમિત શાહે જગન્નાથજીના આશીર્વાદ લીધા હતા. તેમણે પોસ્ટ કરીને લખ્યું હતુ કે દર વર્ષની જેમ આજે પણ મહાપ્રભુની રથયાત્રાના શુભ અવસર પર મને અમદાવાદના જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં ઉપસ્થિત રહેવાનો લહાવો મળ્યો. મંગળા આરતીમાં આવવાથી હંમેશા અપાર શાંતિ અને નવી ઉર્જાનો અહેસાસ થાય છે. હું દરેકના કલ્યાણ માટે મહાપ્રભુને પ્રાર્થના કરું છું.