
ભરૂચ ની રચનામાં વિશિષ્ટ ટેક્નોલીજી અને વિઝન તે સમયના નિર્માતાઓએ બતાવી હતી. હુમલાઓ અને નર્મદાના વિકરાળ પૂરથી નગરની સુરક્ષિત રાખવા મજબૂત કોટ , ખડકીઓ અને પોળની રચનાથી નગરનું નિર્માણ કરાયું હતું.

બાવા રેહાન દરગાહ મદિનાપાર્ક નજીક આવેલી છે. સૈકિયાઓ પૌરાણિક આ સ્થળ આસ્થાનું પ્રતીક છે. વર્ષો જૂની આ સ્થળની તસ્વીર મળી આવી છે.

ગોલ્ડન બ્રિજ(Golden Bridge) નિર્માણનું એક અજોડ ઉદાહરણ છે. તેનું બાંધકામ 1881માં બ્રિટિશરો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું, અંગ્રેજોએ બ્રિજ બનાવવાનું કામ 1877માં શરૂ કર્યું હતું. આ પુલ 16 મે, 1881ના રોજ 45.65 લાખ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો હતો આ પૂલને બનાવવા અને જાળવવા માટે થયેલા ભારે ખર્ચને કારણે તેને ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખવામાં આવ્યો. આઝાદી પછી, તે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ભાગ હતો. સૈકા ઉપરાંતની બહરીજ અડીખમ ઉભો છે

ગોલ્ડન બ્રિજની બાજુમાં રેલવે માટે આકાર પામેલ સિલ્વર બ્રિજ(Railway Silver Bridge ) છે. આ બ્રિજના નિર્માણ સમયની તસ્વીર સામે આવી છે. માર્યાદિત સાધનો વચ્ચે પણ અડીખમ બ્રિજ ઉભો કરાયો હતો

ભરૂચમાં મોટી સંખ્યામાં કપાસની જિન આવેલી હતી. માલની હેરફેર માટે રેલવેની જરૂર ઉભી થઇ હતી જે બાદમાં મુસાફર ટ્રેન પણ શરુ થઇ હતી. ભરૂચ રેલવે સ્ટેશનની વર્ષોજૂની તસ્વીર ભવ્ય ઇતિહાસ વર્ણવે છે.

ભરૂચ કિલ્લાની ટેકરી પર જામા મસ્જિદ આવેલી છે. એવું માનવામાં આવે છે કે મસ્જિદ 14મી સદી દરમિયાન બનાવવામાં આવી હતી. આ મસ્જિદ ઇસ્લામિક કલા અને સ્થાપત્યનું ઉજ્જવળ ઉદાહરણ છે.

ભરૂચમાં આજના સમયે પણ શિક્ષણ માટે જાણીતી રૂંગટા વિદ્યાભવનની વર્ષો જૂની તસ્વીર
Published On - 6:40 pm, Sat, 5 February 22