
સ્ટ્રેસ દૂર થાય : સરસવના તેલથી પગની માલિશ કરવાથી મનને શાંત કરવામાં અને તણાવ, ચિંતા, ડિપ્રેશન જેવી સમસ્યાઓથી રાહત મળે છે. ખાસ કરીને જ્યારે તમે તમારા પગના તળિયાને સરસવના તેલથી માલિશ કરો છો.

પીરિયડ્સના દુખાવામાં રાહત : સરસવના તેલથી તળિયાની માલિશ કરવાથી પીરિયડ્સ દરમિયાન દુખાવો અને ખેંચાણથી રાહત મળે છે અને લોહીનો પ્રવાહ પણ સુધરે છે.

ઉંઘ સારી આવે : જો તમે તમારા પગ અને તળિયા પર સરસવનું તેલ લગાવો અને રાત્રે 5-10 મિનિટ સુધી માલિશ કરો તો તેનાથી થાક દૂર થાય છે. તેમજ મગજને આરામ મળે છે. તેનાથી અનિદ્રા જેવી સમસ્યા દૂર થાય છે અને સારી અને ગાઢ ઊંઘ લેવામાં મદદ મળે છે.

પગના દુખાવામાં રાહત રાહત મળે : જ્યારે ઘણા લોકો લાંબા દિવસના કામ પછી ઘરે પાછા ફરે છે, ત્યારે તેઓ તેમના પગમાં દુખાવો અને અસ્વસ્થતાથી પીડાય છે. આવી સ્થિતિમાં, સરસવના તેલથી પગની માલિશ કરવાથી બેચેની અને પગના દુખાવામાં રાહત મળે છે.

આંખોની તેજ વધે : જે લોકોની આંખોની દૃષ્ટિ નબળી હોય તેઓએ તેમના પગના તળિયાને સરસવના તેલથી માલિશ કરવી જોઈએ, તેનાથી આંખોની રોશની વધે છે.