
શરદી અને ઉધરસમાં રાહત આપે : લસણ અને મધનું મિશ્રણ શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત મેળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. બંનેમાં એવા ગુણધર્મો છે જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. મધ અને લસણમાં બળતરા વિરોધી ગુણો હોય છે જે ગળાના દુખાવાની સાથે બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

હૃદયને સ્વસ્થ રાખે : લસણ અને મધ તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે, જે રક્ત પરિભ્રમણને સુધારે છે. આ બંનેમાં એવા ગુણ છે જે હૃદયની ધમનીઓમાં જમા થયેલી ચરબીને દૂર કરવામાં મદદ કરે છે. જેના કારણે તમારું હૃદય સ્વસ્થ રહે છે.

પાચનતંત્રને મજબૂત બનાવે: લસણ અને મધ મળીને આવા તત્વો બનાવે છે. જે તમારા પાચનતંત્રને મજબૂત રાખે છે. જેના કારણે તમારે કબજિયાત, ગેસ, એસિડિટી, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

એક દિવસમાં કેટલું ખાવું? : રાત્રે સુતી વખતે એક કાચની બોટલમાં મધ નાંખો અને તેમાં લસણની થોડી છાલ ઉતારી લો. હવે દરરોજ સવારે ઉઠ્યા પછી આ બોટલમાંથી લસણની એકથી બે કડી લો અને તેને ખાલી પેટ ખાવ. જો તમે ઇચ્છો તો નાસ્તો અથવા રાત્રિભોજન પછી પણ તેનું સેવન કરી શકો છો. લસણની એક કે બે કળી સવારે મધમાં પલાળી તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.