“ટેટૂ” પડાવવાના શોખીન લોકો સાવધાન ! થઈ શકે છે ગંભીર બીમારીઓ, અહીં જાણો ગેરફાયદા

|

Jun 16, 2024 | 5:50 PM

શું તમે પણ ટેટૂ કરાવવાનું વિચારી રહ્યા છો ? પરંતુ શું તમે જાણો છો કે ટેટૂ કરાવવાને કારણે તમારે કેટલીક આડઅસરોનો સામનો કરવો પડી શકે છે. ટેટૂ પડાવતા પહેલા તેનાથી થતી બિમારીઓ વિશે જાણી લેજો.

1 / 6
આજકાલ શરીર પર ટેટૂ ચીતરાવવું  એ એક ફેશન ટ્રેન્ડ બની ગયુ છે. કૂલ દેખાવા માટે યંગસ્ટર્સ મોટાભાગે તેમના શરીરના જુદા જુદા ભાગો પર ટેટૂ પડાવે છે. પરંતુ આ ફેશન વલણ તમારા સ્વાસ્થ્યને હાની પહોચાડી શકે છે.

આજકાલ શરીર પર ટેટૂ ચીતરાવવું એ એક ફેશન ટ્રેન્ડ બની ગયુ છે. કૂલ દેખાવા માટે યંગસ્ટર્સ મોટાભાગે તેમના શરીરના જુદા જુદા ભાગો પર ટેટૂ પડાવે છે. પરંતુ આ ફેશન વલણ તમારા સ્વાસ્થ્યને હાની પહોચાડી શકે છે.

2 / 6
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, ટેટૂ કરાવવાથી ઘણી ગંભીર અને જીવલેણ બીમારીઓનું જોખમ વધી શકે છે.ત્યારે ચાલો જાણીએ ટેટૂ પડાવવાના ગેરફાયદા

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, ટેટૂ કરાવવાથી ઘણી ગંભીર અને જીવલેણ બીમારીઓનું જોખમ વધી શકે છે.ત્યારે ચાલો જાણીએ ટેટૂ પડાવવાના ગેરફાયદા

3 / 6
સ્વાસ્થ્ય અને ત્વચા માટે હાનિકારક : તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે ટેટૂની શાહીમાં કાર્સિનોજેનિક રસાયણો હોઈ શકે છે જે તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે. ટેટૂ કરાવતી વખતે ઉપયોગમાં લેવાતી સોય, ધાતુ અને શાહી પણ તમારી રોગપ્રતિકારક શક્તિને અસર કરી શકે છે. આ સિવાય ટેટૂની શાહીમાં મળતું એલ્યુમિનિયમ અને કોબાલ્ટ તમારી ત્વચાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

સ્વાસ્થ્ય અને ત્વચા માટે હાનિકારક : તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે ટેટૂની શાહીમાં કાર્સિનોજેનિક રસાયણો હોઈ શકે છે જે તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે. ટેટૂ કરાવતી વખતે ઉપયોગમાં લેવાતી સોય, ધાતુ અને શાહી પણ તમારી રોગપ્રતિકારક શક્તિને અસર કરી શકે છે. આ સિવાય ટેટૂની શાહીમાં મળતું એલ્યુમિનિયમ અને કોબાલ્ટ તમારી ત્વચાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

4 / 6
હેપેટાઇટિસ બીનું જોખમ વધી શકે :હેપેટાઇટિસ બી એ વિશ્વમાં સૌથી સામાન્ય ગંભીર લિવરનો ચેપ છે. તે હેપેટાઇટિસ બી વાયરસથી થાય છે અને તે લિવર પર હુમલો કરે છે અને ઇજા પહોંચાડે છે. ત્યારે ટેટૂ કરાવવાને કારણે હેપેટાઇટિસ બીનું જોખમ ઘણી હદ સુધી વધી શકે છે. જો તમે ટેટૂ કરાવવાનું નક્કી કર્યું હોય, તો તમારે હેપેટાઇટિસ બી સામે રસી લેવી જ જોઇએ. ધ્યાનમાં રાખો કે તમારી એક નાની ભૂલ તમારા જીવનને મોંઘી પડી શકે છે.

હેપેટાઇટિસ બીનું જોખમ વધી શકે :હેપેટાઇટિસ બી એ વિશ્વમાં સૌથી સામાન્ય ગંભીર લિવરનો ચેપ છે. તે હેપેટાઇટિસ બી વાયરસથી થાય છે અને તે લિવર પર હુમલો કરે છે અને ઇજા પહોંચાડે છે. ત્યારે ટેટૂ કરાવવાને કારણે હેપેટાઇટિસ બીનું જોખમ ઘણી હદ સુધી વધી શકે છે. જો તમે ટેટૂ કરાવવાનું નક્કી કર્યું હોય, તો તમારે હેપેટાઇટિસ બી સામે રસી લેવી જ જોઇએ. ધ્યાનમાં રાખો કે તમારી એક નાની ભૂલ તમારા જીવનને મોંઘી પડી શકે છે.

5 / 6
મસલ્સને ડેમેજ કરે : ટેટૂને કારણે તમારા મસલ્સને ડેમેજ થઈ શકે છે. કેટલીકવાર ટેટૂ પડાવવા માટે વપરાતી સોય શરીરમાં ઊંડે સુધી ઘા કરી શકે છે, જેના કારણે તમારા મસલ્સના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. તમારે ક્યારેય ફેશનને તમારા સ્વાસ્થ્યથી ઉપર સ્થાન આપવું જોઈએ નહીં.

મસલ્સને ડેમેજ કરે : ટેટૂને કારણે તમારા મસલ્સને ડેમેજ થઈ શકે છે. કેટલીકવાર ટેટૂ પડાવવા માટે વપરાતી સોય શરીરમાં ઊંડે સુધી ઘા કરી શકે છે, જેના કારણે તમારા મસલ્સના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. તમારે ક્યારેય ફેશનને તમારા સ્વાસ્થ્યથી ઉપર સ્થાન આપવું જોઈએ નહીં.

6 / 6
કેન્સરનું જોખમ વધે : નકલી અને પર્માનેન્ટ બંને પ્રકારના ટેટૂ સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેનાથી ત્વચાની સમસ્યાઓ થાય છે. આનું કારણ ટેટૂની શાહીમાં પારો અને કોપર જેવા રસાયણોની હાજરી છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. તેનાથી કેન્સરનું જોખમ પણ વધે છે.

કેન્સરનું જોખમ વધે : નકલી અને પર્માનેન્ટ બંને પ્રકારના ટેટૂ સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેનાથી ત્વચાની સમસ્યાઓ થાય છે. આનું કારણ ટેટૂની શાહીમાં પારો અને કોપર જેવા રસાયણોની હાજરી છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. તેનાથી કેન્સરનું જોખમ પણ વધે છે.

Published On - 12:20 pm, Sun, 16 June 24

Next Photo Gallery