શું તમને પણ મોજા વગર શૂઝ પહેરવાની છે આદત ? તો જાણી લો થઇ શકે છે આ નુકસાન
આજકાલ મોટા ભાગના લોકો મોજા વગર શૂઝ પહેરે છે. યુવાનોમાં આ આદત વધુ જોવા મળી રહી છે. મોજા વગર શૂઝ પહેરવાથી પગમાં દુર્ગંધ તો આવે જ છે સાથે સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે મોજા વગર શૂઝ પહેરવાના શું નુકસાન છે.
1 / 5
આજકાલ મોટા ભાગના લોકો મોજા વગર શૂઝ પહેરે છે. યુવાનોમાં આ આદત વધુ જોવા મળી રહી છે. મોજા વગર શૂઝ પહેરવાથી પગમાં દુર્ગંધ તો આવે જ છે સાથે સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.
2 / 5
એવું કહેવાય છે કે તમારા પગ શરીરના તે ભાગોમાંથી એક છે જ્યાં વધુ પરસેવો થાય છે. આ કારણે શૂઝ પહેરવાથી વધુ પરસેવો થાય છે અને મોજા આ પરસેવાને સૂકવવાનું કામ કરે છે, જેના કારણે પરસેવો રહેતો નથી.
3 / 5
મોજા પહેરવાના ઘણા ફાયદા છે. મોજા તમને ઘણા પ્રકારના બેક્ટેરિયાથી સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત મોજા પહેરવાથી કોઈ ફંગલ અથવા બેક્ટેરિયલ ચેપ લાગતો નથી. માત્ર ઉનાળામાં પરસેવાથી બચવા જ નહીં, શિયાળામાં પણ મોજા ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં મોજા પહેરવાથી તમને ઠંડીથી રાહત મળે છે અને તમારા પગ ગરમ રહે છે.
4 / 5
જે લોકો મોજા પહેર્યા વગર શૂઝ પહેરે છે તેમને પગમાં એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે. કેટલાક લોકોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેથી ચામડાથી બનેલા શૂઝના સંપર્કમાં આવવાથી એલર્જી પેદા કરી શકે છે.
5 / 5
મોજા ના પહેરવાથી ઘણા લોકોને પગમાં પરસેવાની સમસ્યા થાય છે. પરસેવો દેખીતી રીતે ભેજમાં વધારો કરે છે, જે ઘણા પ્રકારના બેક્ટેરિયલ અથવા તો ફંગલ ચેપ તરફ દોરી શકે છે. ઘણીવાર શૂઝના કારણે પગમાં ફોલ્લા પડી જાય છે. મોજા વગર શૂઝ પહેરવાથી આ સમસ્યાની શક્યતા ઘણી વધી જાય છે.