Health: હિમોગ્લોબિન વધારવા દવાની જરૂર નથી, આ ખોરાક લો, થશે ફાયદો

|

Dec 18, 2021 | 5:31 PM

જ્યારે હિમોગ્લોબિનની ઉણપ હોય છે, ત્યારે શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જાય છે. આ કિસ્સામાં એનિમિયાનું જોખમ વધે છે. પરંતુ આ માટે તમારે કોઈ દવા લેવાની જરૂર નથી. આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરીને તમે સરળતાથી હિમોગ્લોબિનની ઉણપને પૂર્ણ કરી શકો છો.

1 / 6
વિટામિન સી, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર આમળા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઝડપથી વધારે છે. જો તમને એનિમિયાની સમસ્યા હોય તો તેનું નિયમિત સેવન કરો. આમળાને ઘણી રીતે જેમ કે અથાણું, મુરબ્બો, ચટણી, પાવડર વગેરે બનાવીને ખાઈ શકાય છે.

વિટામિન સી, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર આમળા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઝડપથી વધારે છે. જો તમને એનિમિયાની સમસ્યા હોય તો તેનું નિયમિત સેવન કરો. આમળાને ઘણી રીતે જેમ કે અથાણું, મુરબ્બો, ચટણી, પાવડર વગેરે બનાવીને ખાઈ શકાય છે.

2 / 6
આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફાઈબરથી ભરપૂર કિસમિસ(સુકી દ્વાક્ષ) એનિમિયાને દૂર કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ જો તેને પલાળીને ખાવામાં આવે તો પરિણામ ઝડપથી મળે છે. કિશમિસના સેવનથી નબળાઈ અને થાકની સમસ્યા પણ દૂર થાય છે.

આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફાઈબરથી ભરપૂર કિસમિસ(સુકી દ્વાક્ષ) એનિમિયાને દૂર કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ જો તેને પલાળીને ખાવામાં આવે તો પરિણામ ઝડપથી મળે છે. કિશમિસના સેવનથી નબળાઈ અને થાકની સમસ્યા પણ દૂર થાય છે.

3 / 6
પાલકને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. આયર્ન સિવાય પાલકમાં વિટામિન A, C, E, K અને B કોમ્પ્લેક્સ સારી માત્રામાં હોય છે. આ સિવાય તેમાં મેંગેનીઝ, કેરોટીન, આયોડીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ અને ફોસ્ફરસ હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે પાલકને માંસપેશીઓની વૃદ્ધિ માટે પણ ખૂબ જ સારી માનવામાં આવે છે.

પાલકને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. આયર્ન સિવાય પાલકમાં વિટામિન A, C, E, K અને B કોમ્પ્લેક્સ સારી માત્રામાં હોય છે. આ સિવાય તેમાં મેંગેનીઝ, કેરોટીન, આયોડીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ અને ફોસ્ફરસ હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે પાલકને માંસપેશીઓની વૃદ્ધિ માટે પણ ખૂબ જ સારી માનવામાં આવે છે.

4 / 6
જો તમે મીઠાઈના શોખીન છો તો તમારે શિયાળા દરમિયાન ગોળનું સેવન ચોક્કસ કરવું જોઈએ. ગોળમાં આયર્ન તેમજ વિટામિન B12, B6, ફોલેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને સેલેનિયમ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તે તમારા શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે અને ગળા અને ફેફસાના ચેપને અટકાવે છે. હાડકાંને મજબૂત બનાવે છે અને શારીરિક થાક દૂર કરે છે.

જો તમે મીઠાઈના શોખીન છો તો તમારે શિયાળા દરમિયાન ગોળનું સેવન ચોક્કસ કરવું જોઈએ. ગોળમાં આયર્ન તેમજ વિટામિન B12, B6, ફોલેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને સેલેનિયમ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તે તમારા શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે અને ગળા અને ફેફસાના ચેપને અટકાવે છે. હાડકાંને મજબૂત બનાવે છે અને શારીરિક થાક દૂર કરે છે.

5 / 6
શરીરમાં આયર્નની ઉણપને દૂર કરવા માટે તમે ડાયટમાં ચોળાનો પણ સમાવેશ કરી શકો છો. તેમાં 26થી 29 ટકા આયર્ન હોય છે. તમે તેને શાકભાજી તરીકે અથવા સ્પ્રાઉટ્સના રૂપમાં લઈ શકો છો.

શરીરમાં આયર્નની ઉણપને દૂર કરવા માટે તમે ડાયટમાં ચોળાનો પણ સમાવેશ કરી શકો છો. તેમાં 26થી 29 ટકા આયર્ન હોય છે. તમે તેને શાકભાજી તરીકે અથવા સ્પ્રાઉટ્સના રૂપમાં લઈ શકો છો.

6 / 6
બીટમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામીન એ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. બીટ પાચન શક્તિ વધારવામાં તેમજ લોહીની ઉણપ દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે.



(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

બીટમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામીન એ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. બીટ પાચન શક્તિ વધારવામાં તેમજ લોહીની ઉણપ દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. (વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Photo Gallery