Health: શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે આયર્નથી ભરપૂર ખોરાકને ડાયટમાં સામેલ કરો

|

Dec 14, 2021 | 3:14 PM

આયર્નની ઉણપના સૌથી સામાન્ય લક્ષણોમાં થાક, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર, ઠંડા હાથ-પગ નિસ્તેજ થવા છે. આયર્નની ઉણપને દૂર કરવા માટે, તમે આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરી શકો છો.

1 / 6
પાલક: આપણને ઘણીવાર લીલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ શાકભાજીમાં પાલકનો પણ સમાવેશ થાય છે. તે પોષક તત્વોથી ભરપૂર છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે. તમે તેને અઠવાડિયામાં બે વાર શાકભાજી તરીકે અથવા અન્ય રીતે પણ ખાઈ શકો છો.

પાલક: આપણને ઘણીવાર લીલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ શાકભાજીમાં પાલકનો પણ સમાવેશ થાય છે. તે પોષક તત્વોથી ભરપૂર છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે. તમે તેને અઠવાડિયામાં બે વાર શાકભાજી તરીકે અથવા અન્ય રીતે પણ ખાઈ શકો છો.

2 / 6
ચોળાઃ ચોળામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તે શરીરને જરૂરી 26થી 29% આયર્ન પ્રદાન કરી શકે છે. તેથી તમે તેનું નિયમિત સેવન કરી શકો છો. તે આયર્નની ઉણપથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

ચોળાઃ ચોળામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તે શરીરને જરૂરી 26થી 29% આયર્ન પ્રદાન કરી શકે છે. તેથી તમે તેનું નિયમિત સેવન કરી શકો છો. તે આયર્નની ઉણપથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

3 / 6
ગોળઃ તમે નિયમિત સફેદ ખાંડને ગોળના વિકલ્પથી બદલી શકો છો. આ મીઠાઈનો સ્વસ્થ વિકલ્પ છે. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. જો તમારું હિમોગ્લોબિન ઓછું હોય તો તમે ગોળનું સેવન કરી શકો છો. તે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.

ગોળઃ તમે નિયમિત સફેદ ખાંડને ગોળના વિકલ્પથી બદલી શકો છો. આ મીઠાઈનો સ્વસ્થ વિકલ્પ છે. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. જો તમારું હિમોગ્લોબિન ઓછું હોય તો તમે ગોળનું સેવન કરી શકો છો. તે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.

4 / 6
આમળાઃ આમળા એક સુપર ફૂડ છે કારણ કે તે વિટામિન સી, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાને કારણે તે એનિમિયાને દૂર કરવામાં મદદ કરી શકે છે. તમે અથાણું, કેન્ડી અથવા મુરબ્બા સહિત વિવિધ સ્વરૂપોમાં તેનું સેવન કરી શકો છો. આમળાને ઉકાળી શકાય છે અથવા કાચા ખાઈ શકાય છે. રોજ આમળા ખાવાની ટેવ લોહી અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

આમળાઃ આમળા એક સુપર ફૂડ છે કારણ કે તે વિટામિન સી, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાને કારણે તે એનિમિયાને દૂર કરવામાં મદદ કરી શકે છે. તમે અથાણું, કેન્ડી અથવા મુરબ્બા સહિત વિવિધ સ્વરૂપોમાં તેનું સેવન કરી શકો છો. આમળાને ઉકાળી શકાય છે અથવા કાચા ખાઈ શકાય છે. રોજ આમળા ખાવાની ટેવ લોહી અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

5 / 6
પલાળેલી કિસમિસઃ મોટાભાગના ડ્રાય ફ્રુટ્સ આયર્નના સારા સ્ત્રોત છે. કિસમિસમાં કોપર અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. આઠથી દસ કિસમિસને આખી રાત પાણીમાં પલાળીને બીજા દિવસે ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેઓ આંતરડા માટે સારા છે અને પાચનમાં મદદ કરે છે.

પલાળેલી કિસમિસઃ મોટાભાગના ડ્રાય ફ્રુટ્સ આયર્નના સારા સ્ત્રોત છે. કિસમિસમાં કોપર અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. આઠથી દસ કિસમિસને આખી રાત પાણીમાં પલાળીને બીજા દિવસે ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેઓ આંતરડા માટે સારા છે અને પાચનમાં મદદ કરે છે.

6 / 6
અંજીરમાં ફાઇબર, સલ્ફર અને ક્લોરિન ભરપૂર માત્રામાં જોવા મળે છે. સૂકાં અંજીરમાં ઓમેગા 3 અને ફિનૉલની સાથે-સાથે ઓમેગા 6 ફેટી એસિડ્સ પણ હોય છે. તેને ખાવાથી શરીરની દુર્બળતા દૂર થાય છે અને શરીરને શક્તિ મળે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

અંજીરમાં ફાઇબર, સલ્ફર અને ક્લોરિન ભરપૂર માત્રામાં જોવા મળે છે. સૂકાં અંજીરમાં ઓમેગા 3 અને ફિનૉલની સાથે-સાથે ઓમેગા 6 ફેટી એસિડ્સ પણ હોય છે. તેને ખાવાથી શરીરની દુર્બળતા દૂર થાય છે અને શરીરને શક્તિ મળે છે. (વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 3:08 pm, Tue, 14 December 21

Next Photo Gallery