રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા કલોલમાં યોજાઈ હનુમંત કથા, રંગેચંગે પોથી યાત્રાનું કરાયુ આયોજન- જુઓ તસ્વીરો

|

Dec 25, 2023 | 11:40 PM

અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કલોલમાં વિશ્વ ઉમિયાધામ દ્વારા હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા મુખ્ય યજમાન દ્વારા કલોલમાં ધામધૂમથી પોથીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

1 / 5
અયોધ્યામાં 22 જાન્યુઆરીઓ 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામ તેમના ભવ્યાતિભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે. જે તમામ સનાતનીઓ માટે ગર્વની ક્ષણ હશે. આ સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા ભગવાન શ્રીરામના પ્રિય એવા હનુમાનજીની હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

અયોધ્યામાં 22 જાન્યુઆરીઓ 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામ તેમના ભવ્યાતિભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે. જે તમામ સનાતનીઓ માટે ગર્વની ક્ષણ હશે. આ સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા ભગવાન શ્રીરામના પ્રિય એવા હનુમાનજીની હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

2 / 5
આ કથાના મુખ્ય યજમાન લક્ષ્મણજી ઠાકોર, કલોલના ધારાસભ્ય સહિતના ઘરેથી ધામધૂમપૂર્વક પોથી યાત્રા નીકાળવામાં આવી હતી. જેમા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા.

આ કથાના મુખ્ય યજમાન લક્ષ્મણજી ઠાકોર, કલોલના ધારાસભ્ય સહિતના ઘરેથી ધામધૂમપૂર્વક પોથી યાત્રા નીકાળવામાં આવી હતી. જેમા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા.

3 / 5
પોથીયાત્રાની કથા મંડપમાં આવી ત્યારે સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે અને અન્ય હોદ્દેદારોએ ઉત્સાહપૂર્વક વધામણા કર્યા હતા.

પોથીયાત્રાની કથા મંડપમાં આવી ત્યારે સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે અને અન્ય હોદ્દેદારોએ ઉત્સાહપૂર્વક વધામણા કર્યા હતા.

4 / 5
આ હનુમંત કથામાં કલોલના ધારાસભ્ય, નગરપાલિકાના નગરસેવકો, સામાજિક આગેવાનો તેમજ સ્વામીનારાયણ ગુરુકુળના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

આ હનુમંત કથામાં કલોલના ધારાસભ્ય, નગરપાલિકાના નગરસેવકો, સામાજિક આગેવાનો તેમજ સ્વામીનારાયણ ગુરુકુળના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

5 / 5
આ પ્રસંગે ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યુ હતુ કે સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારની જવાબદારી સમગ્ર સમાજની છે. જેને લઈને કલોલમાં વિશ્વ ઉમિયાધામ દ્વારા હનુમંતકથાનું આયોજન કરાયુ છે.

આ પ્રસંગે ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યુ હતુ કે સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારની જવાબદારી સમગ્ર સમાજની છે. જેને લઈને કલોલમાં વિશ્વ ઉમિયાધામ દ્વારા હનુમંતકથાનું આયોજન કરાયુ છે.

Next Photo Gallery