
વરસાદને કારણે શાહપુરમાં દીવાલ ધરાશાયી થઈ હતી. ગોમતીપુરમાં કરા સાથે પડેલા વરસાદને કારણે મકાનોના પતરા ઉડ્યા હતા. ઝુંડાલમાં બાબાના દરબારનો મંડપ પણ તૂટી પડ્યો હતો. ભારે પવનને કારણે બાબાના કાર્યક્રમનો મંડપ પણ તૂટ્યો.

તોફાની પવન અને ધોધમાર વરસાદને કારણે વાસણા બેરેજના બે દરવાજા 2 ફુટ સુધી ખોલાવામાં આવ્યા જ્યારે રૌદ્ર વરસાદને કારણે સાબરમતી ગાંડીતૂર બની હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા.
Published On - 3:24 pm, Mon, 29 May 23