
ઘરમાં કેસર ઉગાડવા માટે એરોપોનિક ટેકનિકનો ઉપયોગ પણ કરી શકો છો. આ તમે કૂંડામાં અથવા તો ઘરમાં ખાલી પડેલી જગ્યા પર પણ ઉગાડી શકાય છે.

જ્યાં કેસર ઉગાડવાનું હોય તે જગ્યા પર દિવસ દરમિયાન 17 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોવું જોઈએ.

કેસર ઉગાડવા માટે રેતાળ અથવા ચીકણી જમીનનો ઉપયોગ કરો. માટી નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશીયમ યુક્ત હોવી જોઈએ. તેમજ આ માટીમાં છાણીયુ ખાતર પણ ઉમેરો.

ત્યાર બાદ માટી અને ખાતરના આ મિશ્રણમાં કેસરના બીજ 3-4 ઈંચ ઉંડાઈએ રોપી ઉપરથી માટી નાખો. ધ્યાન રાખો કે કેસરના છોડ પર સીધો સૂર્યપ્રકાશ ન પડે. કારણ કે છોડને તડકો વધારે મળશે તો છોડ બળી જશે.

કેસરના છોડને યોગ્ય પાણી પીવડાવો. કેસરનો પાકને તૈયાર થવામાં 3 થી 4 મહિનાનો સમય લાગે છે. આ સમયગાળા દરમિયાન નિયમિતપણે તેની સંભાળ રાખો.