Plant In Pot : અઢળક ગુણ ધરાવતી અળસીને ઘરે કૂંડામાં ઉગાડો, જુઓ તસવીરો

|

Oct 04, 2024 | 4:18 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનિંગનો શોખ હોય છે. તેઓ કૂંડામાં અલગ અલગ પ્રકારના શાકભાજી, ફળ,ફુલ અથવા તો બીજ ઉગાડતા હોય છે. તો આજે આપણે જાણીશું કે ઘરે કૂંડામાં અળસી કેવી રીતે ઉગાડી શકાય

1 / 5
કેટલીક ખાદ્ય વસ્તુઓ ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. અળસી ખાસ કરીને સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો આજે આપણે જાણીશું કે આ ગુણકારી અળસી ઘરે કેવી રીતે ઉગાડી શકાય.

કેટલીક ખાદ્ય વસ્તુઓ ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. અળસી ખાસ કરીને સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો આજે આપણે જાણીશું કે આ ગુણકારી અળસી ઘરે કેવી રીતે ઉગાડી શકાય.

2 / 5
અળસી ઉગાડવા માટે સૌથી પહેલા સારી ગુણવત્તાની માટી લો. જો તેમાં કાંકરા હોય તો તેને દૂર કરી તેમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેને થોડા સમય તડકામાં મુકો.

અળસી ઉગાડવા માટે સૌથી પહેલા સારી ગુણવત્તાની માટી લો. જો તેમાં કાંકરા હોય તો તેને દૂર કરી તેમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેને થોડા સમય તડકામાં મુકો.

3 / 5
હવે માટી તૈયાર થઈ જાય ત્યારે તેમાં અળસી બીજ 1-2 ઈંચની ઉંડાઈએ મુકી તેના પર માટી નાખી પાણી નાખો. ત્યાર બાદ કૂંડાને ઢાંકી 2-3 દિવસ રહેવા દો. જેથી આ બીજ અંકુરિત થઈ જશે.ધ્યાન રાખો કે અળસીના છોડને ઉનાળામાં ન ઉગાડો.

હવે માટી તૈયાર થઈ જાય ત્યારે તેમાં અળસી બીજ 1-2 ઈંચની ઉંડાઈએ મુકી તેના પર માટી નાખી પાણી નાખો. ત્યાર બાદ કૂંડાને ઢાંકી 2-3 દિવસ રહેવા દો. જેથી આ બીજ અંકુરિત થઈ જશે.ધ્યાન રાખો કે અળસીના છોડને ઉનાળામાં ન ઉગાડો.

4 / 5
અળસી સારી રીતે ઉગવા લાગે તે માટે 5 થી 8 દિવસ સુધી નિયમિત પાણી આપો. આ સાથે ધ્યાન રાખો કે અળસીમાં વધારે પાણી ન પડી જાય નહીંતર આ છોડ સુકાવવાની શક્યતામાં વધારો થઈ શકે છે.

અળસી સારી રીતે ઉગવા લાગે તે માટે 5 થી 8 દિવસ સુધી નિયમિત પાણી આપો. આ સાથે ધ્યાન રાખો કે અળસીમાં વધારે પાણી ન પડી જાય નહીંતર આ છોડ સુકાવવાની શક્યતામાં વધારો થઈ શકે છે.

5 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )( Image - Getty Image )

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )( Image - Getty Image )

Next Photo Gallery