Plant In Pot : ઘરે જ ઉગાડો ઔષધિય ગુણ ધરાવતો રોઝમેરીનો છોડ, જુઓ તસવીરો

|

Oct 22, 2024 | 2:23 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફળ, ફૂલ, કઠોળ અને અનાજ પણ ઉગાડી શકો છો. આજે આપણે જોઈશું કે ઘરે સરળતાથી રોઝમેરી કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.

1 / 6
રોઝમેરીના છોડને ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો. જેથી છોડમાં નાખવામાં આવતુ પાણી માટીમાં ભરાઈ ન રહે. ત્યાર બાદ સારી ગુણવત્તાની માટી લો.

રોઝમેરીના છોડને ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો. જેથી છોડમાં નાખવામાં આવતુ પાણી માટીમાં ભરાઈ ન રહે. ત્યાર બાદ સારી ગુણવત્તાની માટી લો.

2 / 6
માટીમાં સારી ગુણવત્તાનું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તૈયાર કરેલી માટી કૂંડામાં ભરી લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને માટીને બરાબર ભીની કરી લો.

માટીમાં સારી ગુણવત્તાનું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તૈયાર કરેલી માટી કૂંડામાં ભરી લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને માટીને બરાબર ભીની કરી લો.

3 / 6
હવે નર્સરીમાંથી સારી ગુણવત્તાના બીજ લાવો.માટીમાં 4-5 ફૂટની ઉંડાઈએ બીજ છૂટા છૂટા મૂકી તેના પર માટી નાખી દો. ત્યાર બાદ તેના પર થોડું પાણી ઉમેરો.

હવે નર્સરીમાંથી સારી ગુણવત્તાના બીજ લાવો.માટીમાં 4-5 ફૂટની ઉંડાઈએ બીજ છૂટા છૂટા મૂકી તેના પર માટી નાખી દો. ત્યાર બાદ તેના પર થોડું પાણી ઉમેરો.

4 / 6
રોઝમેરી વાવવામાં આવેલા કૂંડાને એવી જગ્યાએ મૂકો. જ્યાં છોડને આશરે 6 થી 8 કલાક સીધો સૂર્યપ્રકાશ મળે. રોઝમેરીના છોડને વધારે પાણી કે વધારે ખાતરની જરુર પડતી નથી.

રોઝમેરી વાવવામાં આવેલા કૂંડાને એવી જગ્યાએ મૂકો. જ્યાં છોડને આશરે 6 થી 8 કલાક સીધો સૂર્યપ્રકાશ મળે. રોઝમેરીના છોડને વધારે પાણી કે વધારે ખાતરની જરુર પડતી નથી.

5 / 6
રોઝમેરીની યોગ્ય વૃદ્ધિ માટે કૂંડામાંથી નીંદણને દૂર કરતા રહો. આશરે 2 થી 3 મહિનામાં છોડ લીલો થઈ જશે અને તેમાંથી ફૂલો પણ દેખાવા લાગશે. છોડના પાંદડા લીલા રાખવા માટે નિયમિત પાંદડા કાપતા રહો.

રોઝમેરીની યોગ્ય વૃદ્ધિ માટે કૂંડામાંથી નીંદણને દૂર કરતા રહો. આશરે 2 થી 3 મહિનામાં છોડ લીલો થઈ જશે અને તેમાંથી ફૂલો પણ દેખાવા લાગશે. છોડના પાંદડા લીલા રાખવા માટે નિયમિત પાંદડા કાપતા રહો.

6 / 6
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) ( Pic - Getty Images and Unsplash)

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) ( Pic - Getty Images and Unsplash)

Next Photo Gallery