
ગુરુવારે, 3 એપ્રિલ, 2025 ના રોજ, ચાંદીનો ભાવ 1,04,900 રૂપિયા પ્રતિ કિલો હતો. ચાંદીના ભાવમાં આશરે રૂ. 200નો ઘટાડો થયો છે.

દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધી રહી છે.

આ સાથએ અમેરિકાની નીતિઓ, ડૉલરની વધઘટ અને વધતી મોંઘવારીને કારણે પણ સોનાની માંગ વધી છે. આ સિવાય ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો પણ મોટી માત્રામાં સોનું ખરીદી રહી છે, જેના કારણે તેની કિંમત વધુ વધી રહી છે. આ કારણે સોનું હવે તેના રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયું છે.

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.
Published On - 9:12 am, Thu, 3 April 25