Gir somnath : સૌરાષ્ટ્ર તમિલ સંગમ, તમિલ ભાષામાં સાઈન બોર્ડ સાથે તમિલ બાંધવોને આવકારવા માટે સોમનાથ સજ્જ

|

Apr 16, 2023 | 6:00 PM

Gir somnath : ગુજરાતના ખૂણેખૂણાથી આવેલા કલાકારોએ આશરે 90 કરતા પણ વધુ ચિત્રોથી સોમનાથ મંદિર પ્રાંગણ તેમજ પ્રભાસતીર્થને પોતાની અનોખી કલાકારીથી સજાવ્યું છે.

1 / 5
વડાપ્રધાનની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પરિકલ્પનાને સાકાર કરતા ગુજરાત અને તામિલનાડુની સંસ્કૃતિનો અદભૂત સમન્વય સૌરાષ્ટ્ર તમિલ સંગમ દરિયાકિનારે યોજાવાનો છે. ત્યારે મૂળ સૌરાષ્ટ્રના અને તમિલનાડુ સ્થાયી થયેલા બંધુ-ભગીનીઓને આવકારવા સોમનાથ સજ્જ થયું છે.

વડાપ્રધાનની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પરિકલ્પનાને સાકાર કરતા ગુજરાત અને તામિલનાડુની સંસ્કૃતિનો અદભૂત સમન્વય સૌરાષ્ટ્ર તમિલ સંગમ દરિયાકિનારે યોજાવાનો છે. ત્યારે મૂળ સૌરાષ્ટ્રના અને તમિલનાડુ સ્થાયી થયેલા બંધુ-ભગીનીઓને આવકારવા સોમનાથ સજ્જ થયું છે.

2 / 5
સોમનાથ મંદિરની આસપાસ પ્રભાસ ક્ષેત્રમાં ગુજરાતના ખૂણેખૂણેથી આવતા કલાકારોએ ‘વરાહરૂપમ’, ‘દશાવતારમ’, ‘શેષશૈયા’ જેવી ભારતીય સંસ્કૃતિમાં જેનો ઉલ્લેખ છે એવા પૌરાણિક મહત્વ દર્શાવતા ભીંતચિત્રોથી શોભાયમાન કર્યુ છે.

સોમનાથ મંદિરની આસપાસ પ્રભાસ ક્ષેત્રમાં ગુજરાતના ખૂણેખૂણેથી આવતા કલાકારોએ ‘વરાહરૂપમ’, ‘દશાવતારમ’, ‘શેષશૈયા’ જેવી ભારતીય સંસ્કૃતિમાં જેનો ઉલ્લેખ છે એવા પૌરાણિક મહત્વ દર્શાવતા ભીંતચિત્રોથી શોભાયમાન કર્યુ છે.

3 / 5
ગુજરાતના ખૂણેખૂણાથી આવેલા કલાકારોએ આશરે 90 કરતા પણ વધુ ચિત્રોથી સોમનાથ મંદિર પ્રાંગણ તેમજ પ્રભાસતીર્થને પોતાની અનોખી કલાકારીથી સજાવ્યું છે. આ તમામ ચિત્રોમાં પ્રતિકરૂપે વહાણવટા માફક હિજરતથી લઈ અને તમિલ સંસ્કૃતિનું તેમજ પ્રભાસની ભૂમિ પર રહેલા વિવિધ તીર્થક્ષેત્રની ઐતિહાસિક ધરોહરને દર્શાવવામાં આવી છે.

ગુજરાતના ખૂણેખૂણાથી આવેલા કલાકારોએ આશરે 90 કરતા પણ વધુ ચિત્રોથી સોમનાથ મંદિર પ્રાંગણ તેમજ પ્રભાસતીર્થને પોતાની અનોખી કલાકારીથી સજાવ્યું છે. આ તમામ ચિત્રોમાં પ્રતિકરૂપે વહાણવટા માફક હિજરતથી લઈ અને તમિલ સંસ્કૃતિનું તેમજ પ્રભાસની ભૂમિ પર રહેલા વિવિધ તીર્થક્ષેત્રની ઐતિહાસિક ધરોહરને દર્શાવવામાં આવી છે.

4 / 5
વિજાપુરના આર્ટીસ્ટ રાઘવભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અહીં જ્યારે લોકો અમારી કલાકારી સાથે સેલ્ફી લે છે, ત્યારે ખૂબ જ ખુશી થાય છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં અમારી ટીમની કલાકારી દ્વારા પ્રભાસ તીર્થની સેવા કરવા મળી એ બદલ અમારી સમગ્ર ટીમ વતી હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરૂ છું.

વિજાપુરના આર્ટીસ્ટ રાઘવભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અહીં જ્યારે લોકો અમારી કલાકારી સાથે સેલ્ફી લે છે, ત્યારે ખૂબ જ ખુશી થાય છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં અમારી ટીમની કલાકારી દ્વારા પ્રભાસ તીર્થની સેવા કરવા મળી એ બદલ અમારી સમગ્ર ટીમ વતી હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરૂ છું.

5 / 5
ઉપરાંત મંદિરમાં યોજાનાર લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ અંગ્રેજી ભાષામાં રજૂ કરવામાં આવશે. ખાસ સૌરાષ્ટ્ર અને તમિલનું સાયુજ્ય દર્શાવતા ભીંતચિત્રો પણ આર્ટિસ્ટો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને તમિલ બાંધવો ધ્વજાપૂજા પણ સારી રીતે કરી શકે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. (વીથ ઇનપુટ :યોગેશ જોશી-ગીરસોમનાથ)

ઉપરાંત મંદિરમાં યોજાનાર લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ અંગ્રેજી ભાષામાં રજૂ કરવામાં આવશે. ખાસ સૌરાષ્ટ્ર અને તમિલનું સાયુજ્ય દર્શાવતા ભીંતચિત્રો પણ આર્ટિસ્ટો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને તમિલ બાંધવો ધ્વજાપૂજા પણ સારી રીતે કરી શકે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. (વીથ ઇનપુટ :યોગેશ જોશી-ગીરસોમનાથ)

Next Photo Gallery