Gir Somnath : ગુજરાતમાં છે તમિલ સંસ્કૃતિને જીવંત રાખતું દ્રવિડ શૈલીમાં બનેલું 126 વર્ષ જૂનું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર

Gir Somnath : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "એક ભારત અને શ્રેષ્ઠ ભારત"ના સંકલ્પને સાકાર કરતા "સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ" માં આવનાર સૌરાષ્ટ્રીયન તમિલ બંધુઓને આવકારવા તૈયારી ચાલી રહી છે. ત્યારે ગીરસોમનાથમાં તમિલ શૈલીથી બનેલા એક મંદિરની વાત કરવા જઇ રહ્યા છીએ.

| Edited By: | Updated on: Apr 16, 2023 | 6:50 PM
4 / 7
તામિલનાડુના આ મૂળ સંપ્રદાય સાથે આજે સોમનાથ અને તેની આસપાસના અનેક લોકો જોડાયેલા છે. આજે પણ તમિલનાડુના મુખ્ય સંપ્રદાયો માંહેના આ એક સંપ્રદાયની મુખ્ય ગાદી તમિલનાડુના તોતાદ્રીમઠ કે જે કન્યાકુમારીથી ૫૦ કિલોમીટર દૂર વનમામલે નાગુલેરી ખાતે આવેલી છે.

તામિલનાડુના આ મૂળ સંપ્રદાય સાથે આજે સોમનાથ અને તેની આસપાસના અનેક લોકો જોડાયેલા છે. આજે પણ તમિલનાડુના મુખ્ય સંપ્રદાયો માંહેના આ એક સંપ્રદાયની મુખ્ય ગાદી તમિલનાડુના તોતાદ્રીમઠ કે જે કન્યાકુમારીથી ૫૦ કિલોમીટર દૂર વનમામલે નાગુલેરી ખાતે આવેલી છે.

5 / 7
લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર દ્રવિડિયન શૈલીની પંચરત્ન આગમ સ્થાપત્ય શૈલીનું છે, જ્યારે બાલાજી મંદિર તિરૂપતિ બાલાજીની પ્રતિકૃતિ સમાન વૈખાનસ પદ્ધતિનું સ્થાપત્ય છે. બંને મંદિરોની પૂજા દક્ષિણ ભારતની શાસ્ત્રોક્ત વિધિ અને પધ્ધતિ અનુસાર કરવામાં આવે છે.

લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર દ્રવિડિયન શૈલીની પંચરત્ન આગમ સ્થાપત્ય શૈલીનું છે, જ્યારે બાલાજી મંદિર તિરૂપતિ બાલાજીની પ્રતિકૃતિ સમાન વૈખાનસ પદ્ધતિનું સ્થાપત્ય છે. બંને મંદિરોની પૂજા દક્ષિણ ભારતની શાસ્ત્રોક્ત વિધિ અને પધ્ધતિ અનુસાર કરવામાં આવે છે.

6 / 7
ચૈત્ર સુદ છઠ્ઠ થી દશમ સુધી મંદિર દ્વારા ખાસ ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં સંપ્રદાયના મુખ્ય સિદ્ધાંત સર્વ જન વિષ્ણુમયને પરિપૂર્ણ કરતા ઉત્સવ મૂર્તિ નગર ચર્ચા કરે છે અને દરેક ભક્ત કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના ભગવાનને પોતાના ઘરે પધરામણી કરાવી શકે છે.

ચૈત્ર સુદ છઠ્ઠ થી દશમ સુધી મંદિર દ્વારા ખાસ ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં સંપ્રદાયના મુખ્ય સિદ્ધાંત સર્વ જન વિષ્ણુમયને પરિપૂર્ણ કરતા ઉત્સવ મૂર્તિ નગર ચર્ચા કરે છે અને દરેક ભક્ત કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના ભગવાનને પોતાના ઘરે પધરામણી કરાવી શકે છે.

7 / 7
મંદિરની એક ખાસિયત છે કે, માતા લક્ષ્મી પ્રભુની જમણી બાજુ આવેલા છે જે પણ માતાના આગમન થકી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટેનો વિચાર દર્શાવે છે તેમ મધુસુદનાચાર્ય સ્વામીજીએ કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ મંદિરના ખાસ રાજગોપૂરમ, ગરુડ સ્તંભ, ગરુડ મંદિર, વિમાન ગોપૂરમનું બાંધકામ સંપૂર્ણ દક્ષિણ શૈલીનું છે. (વીથ ઇનપુટ ક્રેડીટ-યોગેશ જોષી)

મંદિરની એક ખાસિયત છે કે, માતા લક્ષ્મી પ્રભુની જમણી બાજુ આવેલા છે જે પણ માતાના આગમન થકી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટેનો વિચાર દર્શાવે છે તેમ મધુસુદનાચાર્ય સ્વામીજીએ કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ મંદિરના ખાસ રાજગોપૂરમ, ગરુડ સ્તંભ, ગરુડ મંદિર, વિમાન ગોપૂરમનું બાંધકામ સંપૂર્ણ દક્ષિણ શૈલીનું છે. (વીથ ઇનપુટ ક્રેડીટ-યોગેશ જોષી)