ગીરસોમનાથ- સોમનાથ મંદિરમાં 77માં સંકલ્પ દિવસની ભક્તિભાવપૂર્વક કરાઈ ઉજવણી, જુઓ તસ્વીરો

|

Nov 14, 2023 | 10:58 PM

ગીરસોમનાથ: આજના દિવસે જ એટલે કે 13 નવેમ્બર 1947ના દિવસે જ સમુદ્ર જળ હાથમાં સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારનો શુભ સંકલ્પ કર્યો હતો. ત્યારે આજે (13.11.23) સોમનાથમાં 77માં સંકલ્પ દિનની ભક્તિમય ઉજવણી કરવામા આવી.

1 / 6
ગીરસોમનાથ: જુનાગઢને આઝાદ કરાવ્યા બાદ ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ 13 નવેમ્બર 1947 રોજ સોમનાથ પહોંચ્યા હતા. આ સમયે સોમનાથ મંદિરના જીર્ણ  અવશેષો જોઈને સરદાર પટેલનુ હ્રદય દ્રવી ઉઠ્યુ હતુ. તેમણે સોમનાથ મંદિરના પુન:નિર્માણ માટે સમુદ્ર જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર માટે સંકલ્પ કર્યો હતો જેને આજ 13 નવેમ્બર 2023ના રોજ 76 વર્ષ પૂર્ણ થયા છે.

ગીરસોમનાથ: જુનાગઢને આઝાદ કરાવ્યા બાદ ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ 13 નવેમ્બર 1947 રોજ સોમનાથ પહોંચ્યા હતા. આ સમયે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને સરદાર પટેલનુ હ્રદય દ્રવી ઉઠ્યુ હતુ. તેમણે સોમનાથ મંદિરના પુન:નિર્માણ માટે સમુદ્ર જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર માટે સંકલ્પ કર્યો હતો જેને આજ 13 નવેમ્બર 2023ના રોજ 76 વર્ષ પૂર્ણ થયા છે.

2 / 6
કાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પને પૂર્ણ થતો નિહાળવા જીવિત ન રહ્યાં, જો કે આજે સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારની પ્રતિમા અવિરત ભગવાન સોમનાથના દર્શન કરી રહી છે અને સરદાર વલ્લભ ભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા જનસેવા અને યાત્રી સુવિધાના પ્રકલ્પોને આશીર્વાદ આપી રહ્યા છે.

કાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પને પૂર્ણ થતો નિહાળવા જીવિત ન રહ્યાં, જો કે આજે સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારની પ્રતિમા અવિરત ભગવાન સોમનાથના દર્શન કરી રહી છે અને સરદાર વલ્લભ ભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા જનસેવા અને યાત્રી સુવિધાના પ્રકલ્પોને આશીર્વાદ આપી રહ્યા છે.

3 / 6
આ સંકલ્પ દિન નિમીત્તે સોમનાથ મંદિરના સંક્લ્પ દિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર અને પુરોહિતો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ સંકલ્પ દિન નિમીત્તે સોમનાથ મંદિરના સંક્લ્પ દિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર અને પુરોહિતો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

4 / 6
સોમનાથ મહાદેવની મહાપૂજા માટે પવિત્ર દ્રવ્ય મહાદેવને અર્પણ કરવામાં આવ્યું હતું જેનાથી પૂજારી ગણ દ્વારા સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી

સોમનાથ મહાદેવની મહાપૂજા માટે પવિત્ર દ્રવ્ય મહાદેવને અર્પણ કરવામાં આવ્યું હતું જેનાથી પૂજારી ગણ દ્વારા સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી

5 / 6
 ટ્રસ્ટ પરિવાર તરફથી સચિવ  યોગેન્દ્ર  દેસાઈ દ્વારા મહાસેવાની સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની આત્મશાંતિ અને ભારતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ટ્રસ્ટ પરિવાર તરફથી સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા મહાસેવાની સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની આત્મશાંતિ અને ભારતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

6 / 6
 સંકલ્પ દિન નિમીત્તે સાંજે મહાદેવને અન્નકૂટ મનોરથ ધરવામાં આવ્યો હતો. તેમજ વિશેષ સાયં શૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.Input Credit- Yogesh Joshi- Gir Somnath

સંકલ્પ દિન નિમીત્તે સાંજે મહાદેવને અન્નકૂટ મનોરથ ધરવામાં આવ્યો હતો. તેમજ વિશેષ સાયં શૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.Input Credit- Yogesh Joshi- Gir Somnath

Published On - 11:47 pm, Mon, 13 November 23

Next Photo Gallery