ગીર સોમનાથ: ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે કર્યા સોમનાથ મહાદેવના દર્શન- જુઓ તસ્વીરો

|

Nov 16, 2023 | 10:05 PM

ગીર સોમનાથ: ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધિશ સુનિતા અગ્રવાલે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. સોમનાથ તીર્થમાં તેમણે ગોલોકધામ અને ભાલકા તીર્થના પણ દર્શન કર્યા. આ મુલાકાત દરમિયાન તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટના રામ મંદિર ખાતે રામનામ મંત્ર લેખનમાં પણ જોડાયા હતા.

1 / 5
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધિશ સુનિતા અગ્રવાલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યુ હોવાથી દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને આવે છે.

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધિશ સુનિતા અગ્રવાલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યુ હોવાથી દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને આવે છે.

2 / 5
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે સપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે મહાદેવને જળાભિષેક કર્યો હતો તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી હતી.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે સપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે મહાદેવને જળાભિષેક કર્યો હતો તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી હતી.

3 / 5
સોમનાથ મંદિરના ઈતિહાસને ઉજાગર કરતો  થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ નિર્મિત નૂતન રામ મંદિર ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવીલે પરિવાર સહિત "સોમનાથ થી અયોધ્યા: રામનામ માત્ર લેખન યજ્ઞ"માં જોડાયા હતા.

સોમનાથ મંદિરના ઈતિહાસને ઉજાગર કરતો થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ નિર્મિત નૂતન રામ મંદિર ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવીલે પરિવાર સહિત "સોમનાથ થી અયોધ્યા: રામનામ માત્ર લેખન યજ્ઞ"માં જોડાયા હતા.

4 / 5
ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ લીલા સ્થાન ભાલકા તીર્થ તેમજ શ્રીકૃષ્ણની દેહોત્સર્ગ ભૂમી ગોલોકધામ ખાતે પણ તેઓએ દર્શન કર્યા હતા. તેમજ ગૌલોકધામ ખાતે શ્રીકૃષ્ણ ચરણ પાદુકા પૂજન કર્યું હતું.

ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ લીલા સ્થાન ભાલકા તીર્થ તેમજ શ્રીકૃષ્ણની દેહોત્સર્ગ ભૂમી ગોલોકધામ ખાતે પણ તેઓએ દર્શન કર્યા હતા. તેમજ ગૌલોકધામ ખાતે શ્રીકૃષ્ણ ચરણ પાદુકા પૂજન કર્યું હતું.

5 / 5
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલનું અભિવાદન કરવામાં આવ્યું હતું. Input Credit- Yogesh Joshi- Gir Somnath

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલનું અભિવાદન કરવામાં આવ્યું હતું. Input Credit- Yogesh Joshi- Gir Somnath

Next Photo Gallery