હાલમાં સમગ્ર દ્દેશમાં 10 દિવસ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી આ પવિત્ર પર્વની ઉજવણી કરવાં આવી રહી છે. ઠેર ઠેર વિવિધ સ્વરૂપો અને અલગ અલગ આકારના ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે ઘાટકોપરના આંગણે પ્રશાંત ભરત ઠક્કરને ત્યાં 37માં વર્ષે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે જેમાં એક પગે હાથીના મસ્તક પર ઉભેલા સાદુ માટીના ગણેશજી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ગજેન્દ્ર મોક્ષનો જાપ જીવનમાં સકારાત્મકતા લાવશે, તમને ભૌતિક દુઃખોથી મુક્ત થવામાં મદદ કરશે અને જીવનની ચિંતાઓને દૂર કરવા માટે તમને આધ્યાત્મિક શક્તિ આપશે.
5 / 5
ગણેશ ચતુર્થી એ વર્ષનો મોટા માં મોટો પ્રસંગ છે. ત્યારે આ આયોજક પ્રશાંત ભરત ઠક્કરનું કહેવું છે કે અમારા ઘરમાં, બાપાના આગમન થી લઇ એમની વિદાયી સુધીના દિવસો હર્ષ આનંદ અને ભજન કીર્તન થી ઉજવાય છે.