Ganesh Chaturthi 2022: ભગવાન ગણેશને મોદક કેમ પસંદ છે? જાણો કારણ
એવી પણ માન્યતા છે કે એક વખત ભગવાન શિવ સૂતા હતા. ગણેશજી તેમની રક્ષા કરતા હતા. આવી સ્થિતિમાં પરશુરામ ત્યાં આવ્યા પરંતુ ગણેશજીએ તેમને રોક્યા. આનાથી તે ખૂબ ગુસ્સે થયા અને પરશુરામે શિવ પાસેથી મળેલા પરશુથી ગણેશજી પર હુમલો કર્યો.
1 / 5
આ વર્ષે ગણેશ ચતુર્થીની (Ganesh Chaturthi 2022) શરૂઆત 31 ઓગસ્ટે થશે. આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરે છે. વિધિ-વિધાનથી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાનને મોદકનો ભોગ લગાવવામાં આવે છે. ગણપતિ બાપાને મોદક ખુબ જ પ્રિય છે પણ તમે તેની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે ગણેશજીને મોદક કેમ પસંદ છે?
2 / 5
એવું માનવામાં આવે છે ગણપતિ બાપાનો એક દાંત તુટેલો છે, તેથી તે એકદંત તરીકે પણ ઓળખાય છે. ગણપતિ બાપ્પાના દાંત તૂટી ગયા હોય તો પણ સરળતાથી મોદક ખાઈ શકે છે. તેથી જ બાપ્પાને મોદક ખૂબ ગમે છે.
3 / 5
એવી પણ માન્યતા છે કે એક વખત ભગવાન શિવ સૂતા હતા. ગણેશજી તેમની રક્ષા કરતા હતા. આવી સ્થિતિમાં પરશુરામ ત્યાં આવ્યા પરંતુ ગણેશજીએ તેમને રોક્યા. આનાથી તે ખૂબ ગુસ્સે થયા અને પરશુરામે શિવ પાસેથી મળેલા પરશુથી ગણેશજી પર હુમલો કર્યો.
4 / 5
પરશુના મારથી ગણેજીનો એક દાંત તૂટી ગયો હતો. આવી સ્થિતિમાં તેમને જમવામાં ઘણી તકલીફ પડે છે. એટલે મોદક તૈયાર કરવામાં આવ્યા. મોદક ખૂબ જ નરમ હોય છે અને તે સરળતાથી ખાઈ જાય છે. આથી મોદક ભગવાન ગણેશને પ્રિય બની ગયો.
5 / 5
ગણેશજીને શુભ માનવામાં આવે છે. મોદક પણ તેમના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. મોદક એટલે આનંદ. મોદક ખાવાથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે. તેનાથી ભક્તો ખુશ થાય છે.