
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સફાઈ કામદારોના પગ ધોઈને મહાત્મા ગાંધીના સન્માનના વારસાને આગળ ધપાવ્યો. પીએમ મોદીએ પણ તેમની સાથે વાતચીત કરી અને તેમને વાસ્તવિક કર્મયોગી કહ્યા.

સપ્ટેમ્બર 2021માં, પીએમ મોદીએ નવી સંસદ ભવનનું નિરીક્ષણ કર્યું હતું અને ચાલી રહેલા બાંધકામની સમીક્ષા કરી હતી. તેમણે સ્થળ પર કામ કરતા શ્રમિકો સાથે વાતચીત કરી અને તેમના હાલચાલ પુછ્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું હતુ કે તેઓ એક પવિત્ર અને ઐતિહાસિક કાર્યમાં રોકાયેલા છે.

ઑક્ટોબર 2021માં જ્યારે ભારતે કોરોનાવાયરસ રસીના એક અબજ ડોઝનું સંચાલન કરવાનો માઇલસ્ટોન હાસલ કર્યો, ત્યારે વડા પ્રધાન મોદી આ પ્રસંગે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા. આ દરમિયાન ડોકટરો સાથે વાતચીત કરવા ઉપરાંત પીએમએ હોસ્પિટલમાં હાજર સુરક્ષાકર્મીઓ સાથે પણ વાતચીત કરી હતી અને સતત ફરજ બજાવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.

કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ બાંધકામ કામદારો પર તેમની ભૂમિકાને સન્માનિત કરવા માટે ફૂલોની વર્ષા કરી હતી. પીએમએ તેમના સન્માનમાં કાર્યકરો સાથે ભોજન પણ લીધું હતું.