
સેવંતી ફૂલના ભાવ જે 70 રૂપિયે હતા તે વધીને 150 રૂપિયા કિલો મળી રહ્યાં છે. આ ભાવ હોલસેલના ભાવ છે. જેની સામે રિટેઇલ બજારમાં 20 થી 40 રૂપિયા વધુ ભાવ જોવા મળતો હોય છે

સેવંતીમાં નવો માલ આવતા ભાવ વધારો નોંધાયો છે.

એટલું જ નહીં આસોપાલવનો હાર પણ 5 રૂપિયાને બદલે હાલ 20 રૂપિયામાં મળી રહ્યાં છે. દિવાળીમાં ફૂલો અને આસોપાલવના તોરણ તાતી જરૂરિયાત હોવાથી લોકો ભાવ વધારા વચ્ચે પણ ખરીદી કરી રહ્યા છે. જોકે ભાવ વધારાના કારણે લોકોના બજેટ પર પણ અસર પડી છે.

તહેવાર સમયે લોકોના સ્વાદ અને થાળીની શોભામાં વધારો કરતા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. હાલમાં ડુંગળી, ચોળી અને ટામેટાના ભાવમાં વધારો નોંધાયો છે. ડિમાન્ડ સામે આવક ઘટતા આ ભાવ વધારો નોંધાયો છે. અન્ય શાકભાજીના ભાવમાં ઘટાડો છે. જેમા વટાણા 300ના 150 થયા છે. ટામેટા 30ના 50 થયા છે. ગવાર 100ના 80 રૂપિયા થયા છે. ભીંડા 100ના 80 રૂપિયા થયા છે. ચોળી 80ની 150ની કિલો થઈ છે. આદુ 160માંથી 140નુ થયુ છે. જ્યારે ડુંગળી 40 માંથી 80 થઈ છે.

તહેવાર સમયે લોકોના સ્વાદ અને થાળીની શોભામાં વધારો કરતા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. હાલમાં ડુંગળી, ચોળી અને ટામેટાના ભાવમાં વધારો નોંધાયો છે. ડિમાન્ડ સામે આવક ઘટતા આ ભાવ વધારો નોંધાયો છે. અન્ય શાકભાજીના ભાવમાં ઘટાડો છે. જેમા વટાણા 300ના 150 થયા છે. ટામેટા 30ના 50 થયા છે. ગવાર 100ના 80 રૂપિયા થયા છે. ભીંડા 100ના 80 રૂપિયા થયા છે. ચોળી 80ની 150ની કિલો થઈ છે. આદુ 160માંથી 140નુ થયુ છે. જ્યારે ડુંગળી 40 માંથી 80 થઈ છે.
Published On - 6:26 pm, Sat, 11 November 23