
શમીનો છોડ ઘરે ઉગાડવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે. આ ઉપરાંત લોકો તેના ધાર્મિક મહત્ત્વને કારણે તેને ઘરમાં રાખવાનું પણ પસંદ કરતા હોય છે.

શમીના છોડ પર ગુલાબી રંગના ફૂલો ઉગતા હોય છે. પરંતુ તેના માટે છોડની વિશેષ કાળજી રાખવી પડે છે. શમીના છોડનો વિકાસ સારો થાય તે માટે કઈ બાબતની કાળજી રાખવી તે જણાવીશું.

છોડમાં નાખવા માટે સૌથી પહેલા સરસવના કૂચા, ગાયનું છાણ અને પાણીની જરુર પડશે. ખાતર બનાવવા માટે એક ડોલમાં સરસવના કૂચા, ગાયનું છાણ અને પાણી ઉમેરી મિક્સ કરો.

હવે તેમાં પાણી ઉમેરો અને આખી રાત આમ જ રહેવા દો. સવાર સુધીમાં તમારું પ્રવાહી ખાતર તૈયાર થઈ જશે.

ખાતર ઉમેરતા પહેલા,સુકાયેલી ડાળી અને ખરાબ પાનને કાપી લો. જેથી બીજી ડાળી અને પાન ખરાબ ન થાય.

છોડના સારા વિકાસ માટે નિયમિત પાણી આપવું જોઈએ. તેમજ છોડને 7-8 કલાક સૂર્યપ્રકાશમાં રાખો.