જાણો, ભારતના સૌથી મોટા કન્વેન્શન સેન્ટર એવા ગાંધીનગરના મહાત્મા મંદીરનો રસપ્રદ ઈતિહાસ

|

Feb 15, 2022 | 8:54 PM

મહાત્મા મંદિર સાઈટ પર મીઠાના ઢગલા આકારનો એક પિરામિડ બનાવવામાં આવ્યો છે. જે દાંડી કુટીર તરીકે ઓળખાય છે. જેમા ગાંધીજીના જીવન આધારિત શો પણ બતાવવામાં આવે છે.

1 / 5
મહાત્મા મંદિર  મહાત્મા ગાંધીના જીવન અને દર્શનથી પ્રેરિત છે. તે  ગાંધીનગરમાં સેકટર ૧૩, ખાતે આવેલું સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર તેમજ સ્મારક સંકુલ છે.  આ સંકુલ 34 એકરમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું સંમેલન કેન્દ્ર છે.

મહાત્મા મંદિર મહાત્મા ગાંધીના જીવન અને દર્શનથી પ્રેરિત છે. તે ગાંધીનગરમાં સેકટર ૧૩, ખાતે આવેલું સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર તેમજ સ્મારક સંકુલ છે. આ સંકુલ 34 એકરમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું સંમેલન કેન્દ્ર છે.

2 / 5
લાર્સન એન્ડ ટુબ્રો (એલ ઍન્ડ ટી) અને શાપુરજી પાલનજી એન્ડ કંપની લિમિટેડ દ્વારા બે તબક્કામાં આ સ્મારકનું નિર્માણ કરાયું હતું. તેનું આયોજન અને ડિઝાઇન પર્યાવરણને પણ અનુકૂળ છે

લાર્સન એન્ડ ટુબ્રો (એલ ઍન્ડ ટી) અને શાપુરજી પાલનજી એન્ડ કંપની લિમિટેડ દ્વારા બે તબક્કામાં આ સ્મારકનું નિર્માણ કરાયું હતું. તેનું આયોજન અને ડિઝાઇન પર્યાવરણને પણ અનુકૂળ છે

3 / 5
મહાત્મા મંદિરનો પ્રથમ તબક્કો મે 2010 થી જાન્યુઆરી 2011 સુધીના નવ મહિનામાં ૧૩૫ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. તેમાં એક કન્વેન્શન સેન્ટર, ત્રણ મોટા એક્ઝિબિશન ખંડ અને કોન્ફરન્સિંગ સુવિધાવાળા નાના હોલ શામેલ છે. જ્યારે બીજા તબક્કામાં મીઠાના ટેકરાનું સ્મારક, એક બગીચો, સસ્પેન્શન બ્રિજ, પવન ચક્કીઓ અને પાર્કિંગની જગ્યા વગેરેને 8૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ છે.

મહાત્મા મંદિરનો પ્રથમ તબક્કો મે 2010 થી જાન્યુઆરી 2011 સુધીના નવ મહિનામાં ૧૩૫ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. તેમાં એક કન્વેન્શન સેન્ટર, ત્રણ મોટા એક્ઝિબિશન ખંડ અને કોન્ફરન્સિંગ સુવિધાવાળા નાના હોલ શામેલ છે. જ્યારે બીજા તબક્કામાં મીઠાના ટેકરાનું સ્મારક, એક બગીચો, સસ્પેન્શન બ્રિજ, પવન ચક્કીઓ અને પાર્કિંગની જગ્યા વગેરેને 8૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ છે.

4 / 5
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ 2011, 2013, 2015 અને 2017 જેવા વ્યાપાર સંમેલનોનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ 2011, 2013, 2015 અને 2017 જેવા વ્યાપાર સંમેલનોનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું.

5 / 5
મહાત્મા મંદિર સાઈટ પર મીઠાના ઢગલા આકારનો એક પિરામિડ બનાવવામાં આવ્યો છે. જે દાંડી કુટીર તરીકે ઓળખાય છે. જેમા ગાંધીજીના જીવન આધારિત શો પણ બતાવવામાં આવે છે.

મહાત્મા મંદિર સાઈટ પર મીઠાના ઢગલા આકારનો એક પિરામિડ બનાવવામાં આવ્યો છે. જે દાંડી કુટીર તરીકે ઓળખાય છે. જેમા ગાંધીજીના જીવન આધારિત શો પણ બતાવવામાં આવે છે.

Published On - 8:51 pm, Tue, 15 February 22

Next Photo Gallery