
મની કંટ્રોલ અનુસાર, આ દરમિયાન, સંસદમાં અન્ય એક પ્રશ્નના જવાબમાં, સરકારે પંજાબના ખેડૂતો દ્વારા બેંકો અને શાહુકારો પાસેથી લીધેલી લોન માફ કરવાના કોઈપણ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.

એક પ્રશ્નનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2022માં કેટલાક રાજ્યોમાં ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે. અહેવાલ મુજબ. કર્ણાટકમાં કપાસ અને મહારાષ્ટ્રમાં સોયાબીનની ખેતી કરતા ખેડૂતોની આવક બમણી થઈ છે.