મેટા-માલિકીની ફેસબુકે (Facebook)ગ્રૂપના સભ્યો વચ્ચે શેર કરવામાં આવતી ખોટી માહિતી અથવા ફેક ન્યૂઝને રોકવા માટે ગ્રુપ એડમિન માટે નવા ફીચર્સ ઉમેર્યા છે.
કંપનીએ જણાવ્યું હતું કે તેઓએ Facebook ગ્રૂપ એડમિન માટે વધુ સુવિધાઓ ઉમેરી છે જેમ કે ઇનકમિંગ પોસ્ટ્સને આપમેળે નકારી કાઢવાની સુવિધા જેને થર્ડ પાર્ટી ફેક્ટ-ચેકર્સ દ્વારા ખોટી માહિતી તરીકે આઈડેંટિફાઈ કરી હોય.
કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, અમે Facebook ગ્રૂપ એડમિન્સને તેમના ગ્રુપને સુરક્ષિત રાખવામાં, ખોટી માહિતી ઘટાડવામાં અને તેમના માટે કનેક્ટેડ ઓડિયન્સ સાથે તેમના ગ્રુપનું સંચાલન અને વૃદ્ધિ કરવાનું સરળ બનાવવા માટે નવી સુવિધાઓની જાહેરાત કરી રહ્યા છીએ.
આ નવા ટૂલ્સ એડમિનને ખોટી માહિતીના ફેલાવાને રોકવામાં મદદ કરશે અને ખોટી તરીકે ઓળખાયેલી એડમિન અસિસ્ટ દ્વારા ઇનકમિંગ પોસ્ટ્સને આપમેળે રિજેક્ટ કરવાની ક્ષમતા ઉમેરીને તેમના ગ્રુપમાં વાતચીતનું સંચાલન કરશે.
ઇનકમિંગ પોસ્ટ્સ જેને થર્ડ-પાર્ટી ફેક્ટ-ચેકર્સ નકારી કાઢે છે, જેને ગ્રુપ્સમાં દેખાય પહેલા જ રિજેક્ટ કરવામાં આવે છે. જે ખોટી માહિતીની વિઝિબિલિટીને ઓછી કરવામાં મદદ કરે છે. મ્યૂટની વર્કિંગ કેપેસિટીમાં એડમિન અને મોડરેટર ગ્રુપ્સના મેમ્બર્સ અને પાર્ટિસિપેંટ ગ્રુપ ચેટમાં પોસ્ટ કરવા, કમેન્ટ કરવા, રિએક્ટ કરવા, ભાગ લેવા અને ગ્રુપ્સમાં એક રૂમ ક્રિએટ કરવા અને એન્ટ્રી અથવા ટેમ્પરરી બેન જેવી સુવિધાઓ મળે છે. (ઇનપુટ- IANS) Edited By Pankaj Tamboliya