3 / 5
રિસર્ચ રિપોર્ટ કહે છે કે, નર અને માદા હાથીમાં તણાવ વધવાનું કારણ પણ અલગ-અલગ છે. ઉદાહરણ તરીકે, નર હાથીઓમાં તણાવનું સૌથી મોટું કારણ એકલતા છે. જ્યારે માદા હાથી તેના બાળકને જન્મ આપે છે ત્યારે તેનામાં તણાવ ઓછો હોય છે. સંશોધકોનું કહેવું છે કે, જ્યારે હાથી તણાવની સ્થિતિમાં હોય છે ત્યારે તેના મગજ પર તેની નકારાત્મક અસર પડે છે.